ગણિત લગ્ન તોડાવી શકે તેવું સાંભળ્યુ છે? ગણિતની સામાન્ય ટેસ્ટ લગ્નભંગનું કારણ બની છે. યુપીમાં દુલ્હને જાન પાછી કાઢી હતી અને લગ્ન તૂટી ગયા હતા.
વરરાજાને 2નો ઘડિયો ન આવડ્યો
દુલ્હને લગ્ન કરવાની ના પાડી
યુપીમાં અજીબોગરીબ કિસ્સો
દુલ્હનના ટેસ્ટમાં થયો ફેલ
જાણકારી અનુસાર શનિવારે મહોબાના એક ગામમાં અરેન્જ મેરેજ થવાના હતા. વરરાજા સાંજે જાન લઇને પહોંચ્યો હતો અને દુલ્હનને ક્યાંકથી જાણ થઇ કે વરરાજા ભણેલો નથી. જેટલુ તેના વિશે કહેવામાં આવ્યુ હતુ અને લગ્ન પહેલા દુલ્હને ટેસ્ટ લેવાનુ નક્કી કર્યુ હતુ.
2નો ઘડિયો ન આવડ્યો
જ્યારે વરમાલાનો સમય આવ્યો ત્યારે દુલ્હને દુલ્હાને 2નો ઘડિયો સંભળાવવા કહ્યુ હતુ. આવી અજીબ માગ સાંભળીને વરરાજા ચોંકી ગયો હતો પરંતુ જ્યારે દુલ્હને ફરી કહ્યું ત્યારે વરરાજા ના ન પાડી શક્યો હતો. તે બાદ દુલ્હાએ પ્રયાસ કર્યો પરંતુ તેને 2નો ઘડિયો ન આવડ્યો. જે બાદ દુલ્હને લગ્ન માટે ના પાડી દીધી હતી.
દુલ્હનો કર્યો લગ્ન કરવાથી ઇન્કાર
પનવારી સ્ટેશનના એસએચઓ વિનોદ કુમારે કહ્યું કે આ એક અરેન્જ મેરેજ હતી. વરરાજા મહોબા જિલ્લાના ધવાર ગામનો રહેવાસી હતી. બંને પરિવારના સદસ્ય અને ગામના લોકો એકત્ર થયા હતા પરંતુ 2નો ઘડિયો ન સંભળાવવા પર નારાજ થયેલી દુલ્હને લગ્ન તોડી નાંખ્યા હતા. દુલ્હને કહ્યું કે તે કોઇ એવા વ્યક્તિ સાથે લગ્ન ન કરી શકે જેને ગણિતની સામાન્ય જ્ઞાન ન હોય તેની સાથતે લગ્ન ન કરી શકાય.
દુલ્હનના પિતરાઇએ કહ્યું કે, તે આ જાણીને ચોંકી ગયો હતો કે વરરાજા આટલો અશિક્ષીત છે. અમને તેની શિક્ષા વિશે અંધારામાં રાખવામાં આવ્યા હતા. તે કદાચ સ્કુલ પણ નથી ગયો અને મારી બહેને લગ્ન કરવાની ના પાડી હતી. સોશ્યલ ટેબુથી તે ડરી નહી.
બંને પક્ષોએ સમજોતો કર્યો
વિનોદ કુમારે કહ્યું કે દુલ્હનના ઇન્કાર બાદ બંને પક્ષના લોકો વચ્ચે વાતચીત કરીને સમજોતો કર્યો હતો. વાતચીતમાં નક્કી કરવામાં આવ્યુ કે બંને પક્ષના લોકો એક બીજાને આપેલા ગિફ્ટ અને ઘરેણા પાછા આપી દેશે.