આઈસીએમઆરે ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની શક્યતા પર એક અધ્યયન પ્રકાશિત કર્યો છે.
ત્રીજી લહેર આવી તો તેના માટે ડેલ્ટા પ્લસ જવાબદાર હશે- ICMR
ત્રીજી લહેર આવે છે તો તે બીજી લહેર જેટલી ગંભીર નહીં હોય
પ્રેગ્નેન્ટ મહિલાઓનું રસીકરણ થવું જોઈએ
ત્રીજી લહેર આવી તો તેના માટે ડેલ્ટા પ્લસ જવાબદાર હશે- ICMR
દેશમાં કોરોનાન બીજી લહેર બાદ હવે ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં જ સામે આવેલા કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટે ચિંતા વધારી છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે જો ત્રીજી લહેર આવી તો તેના માટે ડેલ્ટા પ્લસ જવાબદાર હશે. તેવામાં આઈસીએમઆરે ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની શક્યતા પર એક અધ્યયન પ્રકાશિત કર્યો છે.
ત્રીજી લહેર આવે છે તો તે બીજી લહેર જેટલી ગંભીર નહીં હોય
અધ્યયનમાં કહ્યુ છે કે ભારતમાં જો કોરોનાની ત્રીજી લહેર આવે છે તો તે બીજી લહેર જેટલી ગંભીર નહીં હોય. જો કે રસીકરણના પ્રયાસોમાં સ્પીડ લાવવામાં આવે તો નવા સંક્રમણને અટકાવી શકાય છે. અધ્યયનમાં ત્રીજી લહેરની શક્યતાની વાત કરીએ તો સંક્રમણ આધારિત પ્રતિરક્ષા ક્ષમતા આ ઈમ્યૂનિટી કેપેસિટીની ઓછી થઈ શકે છે. તેવામાં પહેલાથી સંક્રમણની હદમાં આવી ચૂકેલા લોકો ફરી સંક્રમિત થઈ શકે છે.
રસીકરણ પ્રેગ્નેન્ટ મહિલાઓ માટે ઉપયોગી
ત્યારે આઈસીએમઆરે હાલમાં જ કરવામાં આવેલા અભ્યાસમાં શોધ્યું કે ગર્ભવતી મહિલાઓ બીજી લહેરમાં પહેલી લહેરની સરખામણીએ વધારે સંક્રમિત થઈ. આ વર્ષે મૃત્યુ દર અને સંક્રમિત મામલની સંખ્યામાં ઘણો વધારો થયો છે. આઈએમઆરના ડાયરેક્ટર જનરલ (ડીજી) ડો. બલરામ ભાર્ગવનું કહેવું છે કે સ્વાસ્થ્ય મંત્રાલયની ગાઈડલાઈન છે પ્રેગ્નેન્ટ મહિલાઓને રસી લગાવી શકાય છે. રસીકરણ પ્રેગ્નેન્ટ મહિલાઓ માટે ઉપયોગી છે અને તેમને રસી આપવી જોઈએ.