દેશના આઠ રાજ્યમાં આતંકી હુમલાને લઇને કર્ણાટક પોલીસને મળેલો ફોન ફરજી હોવાનો ખુલાસો કર્યો છે. બેંગાલુરૂ પોલીસને ફોન કરીને એક શખ્સે 8 રાજ્યોમાં હુમલાનો દાવો કર્યો હતો. જો કે બેંગલુરૂ પોલીસે 65 વર્ષીય ડ્રાઇવરની ધરપકડ કરી લીધી છે. ફરજી કોલ કરનાર શખસ 65 વર્ષીય ડ્રાઇવર અને પૂર્વ સૈનિક હોવોની સૂત્રોને જાણકારી મળી છે.
દેશના આઠ રાજ્યમાં આતંકી હુમલાને લઇને કર્ણાટક પોલીસને મળેલો ફોન ફરજી હોવાનો ખુલાસો કર્યો છે. બેંગાલુરૂ પોલીસને ફોન કરીને એક શખ્સે 8 રાજ્યોમાં હુમલાનો દાવો કર્યો હતો. જો કે બેંગલુરૂ પોલીસે 65 વર્ષીય ડ્રાઇવરની ધરપકડ કરી લીધી છે. ફરજી કોલ કરનાર શખસ 65 વર્ષીય ડ્રાઇવર અને પૂર્વ સૈનિક હોવોની સૂત્રોને જાણકારી મળી છે.
શ્રીલંકામાં ઈસ્ટરના દિવસે થયેલા આતંકી હુમલા બાદ હવે ભારતના દરિયાઈ વિસ્તારમાં આવેલા રાજ્યોમાં કોસ્ટગાર્ડ, કોસ્ટલ મરિન પોલીસ અને સ્થાનિક પોલીસ અલર્ટ પર છે. એવી પણ આશંકા છે કે શ્રીલંકામાં થયેલા બ્લાસ્ટમાં સામેલ કેટલાક આતંકીઓ દરિયાઈ માર્ગે ભારતમાં ઘૂસી શકે છે. આ દરમિયાન એક શખ્સે બેંગાલુરૂ પોલીસને ફોન કરીને દાવો કર્યો હતો કે તેની પાસે માહિતી છે કે આતંકીઓ કર્ણાટક સહિત આઠ રાજ્યોમાં હુમલાને અંજામ આપવા માટે ષડયંત્ર રચી રહ્યા છે.
આ શખ્સના દાવા બાદ કર્ણાટક ડીજીપી અને આઈજીપીએ અન્ય સંબંધિત સાત રાજ્યોમાં પણ અલર્ટ મોકલી આપ્યું હતું. જેને લઇને તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, પુંડુચેરી, ગોવા અને મહારાષ્ટ્રના ડીજીપીને પત્ર લખીને અલર્ટ જાહેર કરવામાં આવ્યુ હતું. પોતાને લોરી ડ્રાઈવર ગણાવતા એક શખ્સે બેંગાલુરૂ સીટી પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરીને દાવો કર્યો કે, આ રાજ્યોમાં ટ્રેનોમાં હુમલો થઈ શકે છે તેમ જણાવ્યું હતું.
તમિલનાડુના રામનાથપુરમમાં 19 આતંકીઓ પણ હાજર હોવાનો આ શખ્સે દાવો કર્યો હતો. આ શખ્સે એવો પણ દાવો કર્યો હતો કે તમિલનાડુની ધાર્મિક નગરી રામેશ્વરના પ્રખ્યાત પંબન સી બ્રીજને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેને લઇને પોલીસ અલર્ટ બની હતી અને ઠેર ઠેર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ઇસ્ટરના દિવસે સિરિયલ બ્લાસ્ટથી પડોશી દેશ શ્રીલંકામાં 253 લોકોના મોત નિપજ્યાં હતા અને અન્ય 500 લોકો ઘાયલ થયા હતા. જ્યારે શુક્રવારના રોજ શ્રીલંકા પોલીસ અને સુરક્ષા એજન્સિયોના સર્ચ ઓપરેશન દરમિયાન એક આત્મઘાતી હમલાખોરે પોતાને બ્લાસ્ટથી ઉડાવી દીધો હતો.