પીએમ મોદી અમેરિકાના પ્રવાસે નીકળ્યા છે. આ સમયે પીએમ મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની સાથે હાઉડી મોદી કાર્યક્રમમાં ભાગ લેશે. એક અઠવાડિયા સુધીના પ્રવાસમાં પીએમ મોદી સંયુક્ત રાષ્ટ્રમાં પોતાનું સંબોધન પણ આપશે.
પીએમ મોદી 27 સપ્ટેમ્બરની રાતે અમેરિકા જશે
પીએમએ દિલ્હીથી જતાં પહેલાં અમેરિકાનો પોતાનો કાર્યક્રમ જણાવ્યો
પીએમએ ટ્વિટ કરીને કહ્યું યૂએન અને તેના અન્ય ઈત્તર કાર્યોમાં લેશે ભાગ
ભારત પાસે અનેક પ્રમુખ મંચ પર પોતાની વાત રાખવાનો અવસર રહેશેઃ પીએમ મોદી
આ કાર્યક્રમોમાં લેશે ભાગ
પીએમ મોદી એક અઠવાડિયાના અમેરિકાના પ્રવાસે જવા માટે નીકળી ચૂક્યા છે. તેઓ 27 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભાને સંબોધિત કરશે અને તે જ દિવસે ભારત પરત પણ ફરશે. પોતાના આ પ્રવાસમાં તેઓ અનેક પ્રમુખ કાર્યક્રમોમાં ભાગ પણ લેશે. પીએમએ ફ્લાઈટમાં બેસતા પહેલાં ટ્વિટ કરીને કહ્યું યૂએન અને તેના અન્ય ઈત્તર કાર્યોમાં ભાગ લેશે જેનાથી ભારત અને અમેરિકાના સંબંધો મજબૂત બનશે. સાથે જ તેઓએ પોતાના આ પ્રવાસની સમગ્ર વિગતો પણ આપી હતી.
My upcoming USA visit would include various high-level programmes that would further cement India’s ties with USA, important multilateral events and interactions with the Indian community as well as business leaders. Here are the details. https://t.co/0eij3M85qr
પીએમએ જણાવ્યું કે ત્યાં અનેક મહત્વના અને બહુપક્ષીય કાર્યક્રમોમાં તેઓ ભાગ લેશે. ભારતીય સમુદાયની સાથે બિઝનેસ લીડર્સ સાથે પણ તેઓ મુલાકાત કરશે. અમેરિકામાં તેઓ એનર્જી સેક્ટરના ટોપ સીઈઓ, ત્યાં વસતા ભારતીયના વિભિન્ન સમૂહ અને ઉચ્ચ અમેરિકી નેતાઓ સાથે પણ વાતચીત કરશે, તેઓએ ટ્વિટમાં લખ્યું છે કે ઉર્જાવાન શહેર હ્યુસ્ટનના કાર્યક્રમોમાં અમારા સંબંધોને વધારે ઉર્જા મળશે.
Key events I would be attending at the @UN are the Climate Action Summit, an event on Universal Health Coverage, and opening plenary of the Bloomberg Global Business Forum. These forums will give opportunities to showcase India’s efforts to build peaceful and prosperous world.
પીએમએ જણાવ્યું છે કે હ્યુસ્ટનમાં 22 સપ્ટેમ્બરના સ્થાનિક સમયાનુસાર સવારે 10.15 વાગે એક મોટો સામુદાયિક કાર્યક્રમ થશે. અમને ગૌરવ છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની હાજરીથી કાર્યક્રમની શાન વધશે. તેઓએ #HowdyModi સાથે લખ્યું કે આ કાર્યક્રમમાં ભારત-અમેરિકાના સંબંધોમાં એક નવો વળાંક આવશે, જેનાથી બંને દેશોના સંબંધો વધારે મજબૂત થશે.
મજબૂત થશે ભારત- અમેરિકાના સંબંધોઃ પીએમ
પીએમએ કહ્યું કે અમારા પરસ્પરના પ્રયાસ, મૂલ્યો અને હિતની સાથે તાકાતને કારણે દુનિયાના સૌથી જૂના અને મોટા લોકતંત્રની વચ્ચે સ્વાભાવિક સમજદારી છે. તેઓએ કહ્યું કે તેઓ ન્યૂયોર્કના યૂએન હેડક્વાર્ટરમાં અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. પીએમએ કહ્યું કે ભારત સંયુક્ત રાષ્ટ્રની સ્થાપનાના સમયથી અનેક કાર્યક્રમો અને સક્રિય ભાગીદારી નિભાવી રહ્યું છે. તેઓએ લખ્યું છે કે તેનાથી મલ્ટિલૈટરલિઝ્મના પ્રત્યેનો સંકલ્પ દેખાય છે. યૂએન જનરલ એસેમ્બલીમાં મારું સંબોધન 27 સપ્ટેમ્બરે હશે.
યૂએનમાં અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે પીએમ
પીએમ મોદીએ કહ્યું કે તેઓ યૂએનમાં આયોજિત થઈ રહેલા ક્લાઈમેટ એક્શન સમિટ અને યૂનિવર્સલ હેલ્થ કવરેજના સમારોહની સાથે બ્લૂમબર્ગ બિઝનેસ ફોરમના ઉદ્ધાટન સત્રમાં હાજર રહેશે. પીએમના આઘારે આ આયોજનમાં તેમની હાજરી ભારતને શાંતિપૂર્ણ અને સમૃદ્ધ વિશ્વના નિર્માણના પ્રયાસોમાં અવસર આપશે.
ગાંધી જયંતિ પર ખાસ કાર્યક્રમ
આ વર્ષ મહાત્મા ગાંધીની 150મી જયંતિનું વર્ષ છે. પીએમએ જણાવ્યું છે કે ભારત આ અવસરે યૂએનમાં એક કાર્યક્રમ આયોજિત કરશે જેમાં દુનિયાભરના નેતા ગાંધીજી માટેના પોતાના વિચારો વ્યક્ત કરશે. ભારતે સ્વચ્છ ભારતના ગાંધીજીના સ્વપ્નને પૂરા કરવા માટે પાંચ વર્ષોથી સાફ સફાઈની વ્યવસ્થા સુધારવાની દિશામાં કોશિશ કરી છે.