પાકિસ્તાનમાં સ્થિત ગુરુદ્વારા દરબાર સાહિબના દર્શન માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે કરતારપુર કોરિડોરનું શનિવારે ઉદઘાટન કરવામાં આવ્યું. આ અવસરે હાજર પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કહ્યું કે 'આ એક સારી શરૂઆત હતી. ભારત-પાકિસ્તાનના સંબંધોમાં ઘણા બધા પણ-પરંતુ છે, પણ મને આશા છે કે બંને દેશોના સંબંધો સુધારવા માટે આ એક સારી શરૂઆત છે.'
ભારતની તરફથી બંને કોરિડોરનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કહ્યું કે 'આ એક સારી શરૂઆત હતી
ભારતની તરફથી બંને કોરિડોરનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે. ઉદઘાટન કાર્યક્રમ દરમિયાન જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડૉ. મનમોહન સિંહને પણ મળ્યા. આ અવસર પર પંજાબના વડાપ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહ પણ હાજર રહ્યા. આ બંને નેતા ભારતની તરફથી પાકિસ્તાન સ્થિત ગુરુદ્વારા દરબાર સાહિબ ગયેલી પહેલી ટીમમાં સામેલ થયા.
બંને દેશો વચ્ચેનો કોરિડોર બનશે કરતારપુર : કેપ્ટન અમરિન્દર
કોંગ્રેસના વરિષ્ઠ નેતા કેપ્ટન અમરિન્દર સિંહે કહ્યું, 'આ એક સારો અનુભવ હતો. મને આશા છે કે આ કોરિડોર ધીરે-ધીરે બંને દેશોની વચ્ચેનો કોરિડોર બની જશે.' નોંધનીય છે કે, આ કોરિડોર ડેરા બાબા નાનક ગુરુદ્વારાને પાકિસ્તાનના પંજાબ પ્રાન્ત સ્થિત નારોવાલ જિલ્લાના કરતારપુર સ્થિત દરબાર સાહિબને જોડશે.