કરીના કપૂરને ફિલ્મના સક્સેસ કે ફેલિયરથી કશો ફરક નથી પડતો.એ તેના જ યુનિવર્સમાં ખોવાયેલી રહે છે.
કરીના કપૂરને બોક્સ ઓફિસથી વધુ કઈં ફરક નથી પડતો
કરીનાએ ઘણી વખત મારી ક્લાસ લગાવી છે - આમિર ખાન
બોક્સ ઓફિસ પર આજકાલ હિન્દી ફિલ્મો ખૂબ ખરબ રીતે પિટાઈ રહી છે. 11 ઓગસ્ટના રોજ કરીના કપૂર અને આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા થિયેટરમાં રિલિજ થવા જઈ રહી છે. કોફી વિથ કરણમાં આમિર ખાને સ્વીકાર્યું હતું કે તેને ફિલ્મ રિલિજ થવા પર નર્વસનેસ થાય છે. ત્યાં જ કરણ જોહરનું એમ માનવું છે કે કરીના કપૂરને ફિલ્મ રિલિજ અને બોક્સ ઓફિસથી વધુ કઈં ફરક નથી પડતો.
કરણ જોહરે કોફી વિથ કરણ શૉ માં કરીના કપૂરને કહ્યું હતું કે ' તેને નથી લાગતું કે કરીના કપૂરને ફિલ્મના સક્સેસ કે ફેલિયરથી કશો ફરક નથી પડતો. કરીનાને આવા કોઈમાં ઇંટ્રેસ્ટ નથી હોતો એ તેના જ યુનિવર્સમાં ખોવાયેલી રહે છે. કરીના જે સ્ટેજ પર હોય એ ત્યાં તેને મજા આવે એમ જ કરે છે. કરીના કપૂર બોક્સ ઓફિસ બીજનેસથી દૂર છે. જો ફિલ્મ ચાલી તો એ ખુશ બાકી ન ચાલી તો તેને કોઈ ફરક નથી પડતો. એ સમયે કરીના કોઈ જવાબ ન આપી શકી પણ આમિર ખાન તેના બચાવમાં આવ્યા અને તેને કરણને ખોટો સાબિત કર્યો હતો.
આમિર ખાન વચ્ચે આવતા બોલ્યા હતા કે, ' કરીના તેની ફિલ્મને લઈને ઘણી ચિંતિત હોય છે. એ છેલ્લા બે મહિનાથી મારા પર ગુસ્સે થઈને કહે છે એ ફિલ્મનું પ્રમોશન નથી થતું. કરીનાએ ઘણી વખત મારી ક્લાસ લગાવી છે.' એ જ સમયે કરણ જોહરે કહ્યું હતું કે કરીના પોતાની ફિલ્મ ક્યારેય નથી જોતી. જોઈએ આ વખતે તે લાલ સિંહ ચઢ્ઢા જોય છે કે નહીં.
એ સમયે કરીનાએ તેના બચાવમાં કહ્યું હતું કે, ' હું ફિલ્મને લઈને નર્વસ હોઉં છું. મને મારી ફિલ્મ જોવી પસંદ છે પણ હું 4-5 મહિના પછી જોઉ છું. હવે એ જોવાનું રહ્યું કે કરીના કપૂર લાલ સિંહ ચઢ્ઢાની સ્ક્રિનિંગમાં જાય છે કે નહીં.