સોશિયલ મીડિયા પર હાલ હૈદરાબાદ પોલીસનો વીડિયો વાયરલ થયો છે. જેમા ડ્ર્ગસ લેનારા લોકોની સામે પોલીસ એકશન મોડમાં આવી ગઈ છે અને શંકાસ્પદ લોકોને રોકીને તેમના ફોન પણ ચેક કરી રહી છે.
સોશિયલ મીડિયા પર હૈદરાબાદ પોલીસનો વીડિયો વાયરલ
ડ્રગ્સ લેનારા લોકો સામે પોલીસ અહીયા એકશન મોડમાં
રસ્તા પર રોકીને લોકોના ફોન કરી રહી છે ચેક
New policing practices alert: stop and search phone chats by the @hydcitypolice. Police are searching phone chats for words like ganja. Wait until they replace words with NRC, Modi or BJP. pic.twitter.com/1lNjvKRIgk
સોશિયલ મીડિયા પર હાલ હૈદરાબાદ પોલીસનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં એવું જોવા મળી રહ્યું છે કે હૈદરાબાદ પોલીસ ડ્રગ્સ મામલે કડક તપાસ કરી રહી છે. જેમા તે લોકોના ફોન પણ ચેક કરી રહી છે.
વોટ્સએપ ચેટમાં ગાંજો સર્ચ કરે છે
સાંભળીને તમને નવાઈ લાગશે કે પોલીસ વોટ્સએપ ચેટમાં ગાંજો અને ડ્રગ્સ આ બે શબ્દો સર્ચ કરી રહી છે. જેથી પોલીસની આ તપાસની લોકો આલોચના પણ કરી રહ્યા છે. જે વીડિયો વાયરલ થયો છે આ વીડિયો હૈદરાબાદના બહાદુરપુરાના હોવાનું સામે આવ્યું છે. આ વીડિયો સામે આવ્યા બાદ એવું લાગી રહ્યું છે કે હૈદરાબાદ પોલીસ હવે એકશન મોડમાં આવી ગઈ છે.
પોલીસ કમીશનરે ચેકીંગના આપ્યા આદેશ
હૈદરાબાદ પોલીસને સમગ્ર મામલે પોલીસ કમીશનરના ઉપરથી આદેશ મળ્યા છે. જેથી પોલીસ કડક ચેકીંગ કરી રહી છે. સમગ્ર મામલે પોલીસનું કહેવું છે કે તેમણે ફોનની તપાસ કેવી રીતે કરવી તે તેમને ખ્યાલ છે. સાથેજ પોલીસનું કહેવું છે આ મુદ્દે કોઈના પર દબાણ આપવામાં નહી આવે પરંતું લોકોએ પોલીસને સહયોગ આપવો પડશે.
કોઈના પર પોલીસે નથી કર્યું દબાણ
પોલીસનું કહેવું છે કે તે જે પણ લોકોનો ફોન ચેક કરી રહી છે. તેમાથી કોઈના ઉપર પણ તેમણે દબાણ નથી કર્યું. સાથેજ પોલીસે એવું પણ કહ્યું કે તેમને નથી લાગતું કે કઈ પણ વસ્તુ ખોટી થઈ રહી હોય. વધુમાં પોલીસે કહ્યું અમે કોઈનો પણ ફોન ચેક કરવા તેમના પર દબાણ નથી કરતા તેઓ સામેથી ફોન આપવા માટે ના પાડી શકે છે. જોકે કોઈએ ના નથી પાડી.
તેલંગાણાના મુખ્યમંત્રીએ બેઠક બોલાવી હતી
ઉલ્લેખનીય છે કે જ્યારથી આર્યન ખાન ડ્રગ્સ કેસમાં ઝડપાયો છે. ત્યારથી ઘણા બધા રાજ્યોમાં ડ્રગ્સને લઈને પોલીસ હવે એકશન મોડમાં આવી ગઈ છે. તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે પણ ડ્રગ્સની સામે યુદ્ધ જાહેર કરી દીધું છે. ગત સપ્તાહે તેમણે એક મોટી બેઠક બોલાવી હતી જેમા તેમણે ડ્રગ્સના કારોબાર પર લગામ આપવા સૂચના આપી હતી.