આ કલયુગમાં હવે લોકો ગમે તે હદ સુધી જતા હોઈ છે પણ શું કોઈ અંગત સબંધોમાં પણ કોઈ છેલ્લી હદ સુધી જઈ શકે ખરું ? આ બનાવ છે દ્વારકા જિલ્લાનો છે. જ્યાં દ્વારકા રેતવા પાડા વિસ્તારમાં રહેતા રૂડીબેન નાયાભાઈ ચાનપા નામના મહિલાની પગ નીચે ત્યારે જમીન સરકી ગઈ જયારે તેના પતિએ તેણે મૃતક જાહેર કરી દિધી. આ કડવું પણ વાસ્તવિક સત્ય હતુ જે રૂડીબેનને પણ સ્વીકારવું પડ્યુ.
જ્યારે તેઓ બેન્કમાં પૈસા ઉપાડવા ગયા ત્યારે તેમને સમગ્ર હકીકત સામે આવી કે તેમના પતિ નાયાભાઈ સનાભાઈ ચાનપાએ બેંકમાં ખોટુ ડેથ(મરણ)સર્ટી રજૂ કર્યું. એસ.બી.આઈ બેંકમાં પતિ-પત્નીના જોઇન્ટ એકાઉન્ટમાં પોતાની પત્નીનુ નામ કમી કરવા ખોટુ મરણ સર્ટી રજૂ કર્યુ હતુ. આ સમગ્ર મામલો બહાર ત્યારે આવ્યો જયારે રુડીબેન પૈસાની જરૂરિયાત હોઈ બેંકમાં પૈસા ઉપાડવા ગયા.
બેંકમાં જોઇન્ટ એન્કાઉન્ટમાં પત્નીનું નામ કઢાવવા બનાવ્યું મરણનું સર્ટી
આ સમગ્ર મામલો સબંધોને દાગ લગાડનાર છે. સમગ્ર કિસ્સાએ સભ્ય સમાજમાં ભારી ચર્ચાઓ જગાવી છે. દ્વારકા જેવી પવિત્ર ભુમિ પર પતિના આવા પાપી કૃત્યથી ચારે તરફ નિંદા થઈ રહી છે. તો આ સમગ્ર બનાવ પણ અનેક સવાલો ઉભા કરે છે. એસ.બી.આઈ બેંકમાં જોઇન્ટ એન્કાઉન્ટ ધરાવનાર આ બન્ને પતિ-પત્નીનાં નામે વહીવટ થતો હતો. ત્યારે પોતાની પત્નીનુ નામ કઢાવી નાખવા પતિ નાયાભાઈ ચાનપા પાસે મરણનુ સર્ટી ક્યાંથી આવ્યુ કેમ આવ્યુ કેવી રીતે આવ્યુ?
પતિ વિરૂધ્ધ દ્વારકાના પોલીસ સ્ટેશને ફરિયાદ
આ સર્ટી દ્વારકા નગર પાલીકાની કચેરીએથી કાઢવામાં આવે છે. જેમાં દાખલા માટે મરણ નોંધ સહિતની કામગીરી પ્રાથમિક તબ્બકે કરવી પડે છે. પોતાના પતિએ રજૂ કરેલા મરણનાં દાખલા ક્યાંથી આવ્યા. આ મરણનાં દાખલા સામે દ્વારકા નગર પાલીકા પણ હરકતમાં આવી અને તપાસ કરી રહી છે. આ દાખલો અહીંથી નીકળ્યો છે કે કોઈ અન્યો લોકોની સંડોવણી છે? હાલતો આ મામલાની જાણ રુડીબેનને થતા તેમણે આ મામલે પોતાના પતિ વિરૂધ્ધ દ્વારકાના પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસ પણ આ મામલે બેંક અને નગર પાલીકાનાં કર્મચારીઓની પૂછપરછ સાચુ સત્ય જાણવા પ્રયાસ કરી છે. ત્યારે આ મામલે દ્વારકાના નગર પાલીકા ચિફ ઓફિસર પણ આ બાબતે યોગ્ય તપાસ થશે.
આ સર્ટી ક્યાંથી બનાવ્યુ?
અહીં કોઈ એવુ પ્રાથમિક તારણમાં નગર પાલીકા દ્વારા જે મરણ સર્ટી તારીખ રજૂ કરવામા આવ્યુ તે નગર પાલીકાનાં રેકર્ડ પર ના હોઈ આમા પણ હજૂ તપાસ જરૂરી છે. ત્યારે આ સમગ્ર મામલો ભેજાબાજ પતિ નાયાભાઈ ચાનપા પર આવીને ઊભો રહે છે. તેણે આ સર્ટી ક્યાંથી બનાવ્યુ અને કોણે આ મામલે મદદ કરી. ત્યારે ભેજાબાજ આ પતિએ ખૂબ બુધ્ધિપૂર્વક મરણનાં દાખલાને આધારે બેંકમા નામ કમી કરવા તખ્તો ઘડી કાઢ્યો હતો. પણ પાપનો ઘડો આખરે ફુટતા પોતાના પતિની આવી હરકતથી અચંબિત પત્નીએ પણ પોતાનાં પતિ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી તેને પણ સબક શિખવાડવાનુ નક્કી કર્યુ છે. ત્યારે પવિત્ર નગરી દ્વારકામા સમગ્ર પ્રકરણ ભારે ચર્ચાઓ જગાવી છે.