અત્યારે અધિક મહિનો ચાલી રહ્યો છે. આ મહિનાના સ્વામી ભગવાન વિષ્ણુ છે. વિષ્ણુજીના આ મહિનામાં જો શિવજીની પૂજા કરવામાં આવે તો ભક્તની તમામ ઇચ્છાઓ પૂરી થઇ શકે છે. શિવજીની પૂજાથી શ્રીહરિ અને મહાલક્ષ્મીની કૃપા પણ મળે છે. આજે અમે તમને જણાવીશું કે અધિક મહિનામાં કયા-કયા ઉપાય કરવા જોઇએ...
પહેલો ઉપાય:
શિવલિંગ પર કેસર મિક્સ કરેલું જળ ચઢાવો. આ જળ ચઢાવતી વખતે ऊँ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि. तन्नो रुद्र: प्रचोदयात्। મંત્રનો 108 વખત જાપ કરો.
બીજો ઉપાય:
શિવલિંગની સામે બેસીને ઘીનો દીવો કરવો જોઇએ. દીવો કર્યા પછી ऊँ नम: शिवाय નો મંત્રનો જાપ 108 વખત કરો. આ ઉપાય રોજ સવારે કરવો જોઇએ.
ત્રીજો ઉપાય:
ભગવાનને પ્રસન્ન કરવા માટે શિવલિંગ પર શેરડીનો રસ ચઢાવો અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો. મંત્ર: ऊँ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात्।।
ચોથો ઉપાય:
કોઇપણ શિવ મંદિર જાઓ અને શિવલિંગ પર 11 કે 21 બિલી પત્ર ચઢાવો. બિલી પત્ર પર ચંદનથી ऊँ પણ લખવું. આ ઉપાય મોટામાં મોટી સમસ્યા પણ દૂર કરી શકે છે.
પાંચમો ઉપાય:
સૂર્યાસ્ત બાદ કોઇ એવા શિવ મંદિરમાં જાઓ જે એકાંતમાં હોય. મંદિરમાં દીવો કરો અને ભગવાનને મુશ્કેલીઓ દૂર કરવાની પ્રાર્થના કરો.
છઠ્ઠો ઉપાય:
શિવલિંગ સામે બેસીને શ્રીરામના નામનો 108 વખત જાપ કરો. આ ઉપાયથી ભગવાન શિવજી ખૂબજ પ્રસન્ન થાય છે અને આપણી બધી જ મુશ્કેલીઓ દૂર કરે છે.