ભારતીય ભોજનમાં ઘીની એક ખાસ જગ્યા છે, અનેક એવા પકવાન છે જે ઘીના સ્વાદ વિના અધૂરા છે. જો તમે ઘરે ઘી બનાવી લો છો તો તે એકદમ શુદ્ધ હોય છે અને તેનો સ્વાદ પમ અલગ હોય છે. તો જાણો ખાસ ટ્રિક.
આ ટ્રિકથી ઘરે બનાવી લો મલાઈમાંથી ઘી
સ્વાદ અને રંગની સાથે ટેસ્ટમાં પણ છે બેસ્ટ
આ રીતે ઘી કાઢશો તો થશે ફાયદો
પરાઠાથી લઈને અનેક સ્વીટ ડિશમાં પણ ઘીનો ઉપયોગ કરાય છે. જો તમે બહારનું ઘી લાવીને વાપરો છો તો તેમાં અનેક પ્રકારની ભેળસેળનો ડર પણ રહે છે. પણ જ્યારે ઘરે ઘી બનાવાય છે તો તેનો રંગ, ટેસ્ટ વગેરેમાં ફરક જોઈ શકાય છે. આ સાથે જ તે પચવામાં ણ હલકું રહે છે.
ઘરે ઘી બનાવવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. આ માટે તમારે કોઈ ખાસ પ્રયાસ કરવાનો નથી. નાની ટિપ્સથી તમે સરળતાથી ઘરે જ મલાઈમાંથી ઘી કાઢી શકો છો. ઘરે ઘી કાઢવાથી દૂધની મલાઈ પણ વેસ્ટ જશે નહીં અને આ ઘી હેલ્થ માટે સારું રહેશે.
આ રીત કરો પ્રોસેસ
સૌ પહેલાં તો દૂધ પર જામેલી મલાઈની પરતને ધ્યાનથી એક વાસણમાં અલગ કરો.
ઓછામાં ઓછા 15 દિવસની મલાઈ જમા કરો.
તેને રોજ ફ્રિઝમાં સ્ટોર કરતા જાઓ.
હવે જ્યારે ઘી કાઢવું હોય ત્યારે મલાઈને મેળવો અને તે માટે તેને ફ્રિઝમાંથી બહાર કાઢો.
તેને નોર્મલ તાપમાને આવી જવા દો અને હવે તેમાં 2 ચમચી દહીં મિક્સ કરીને તેને હલાવી લો.
આખી રાત આ મલાઈને બહાર રહેવા દો અને તેને જામવા દો.
7-8 કલાક બાદ તમે મલાઈને વલોવી લો. સારી રીતે વલોવવા માટે તમે બ્લેન્ડરનો પણ ઉપયોગ કરી શકો છો.
તમને લાગે કે માખણ આવી રહ્યું નથી તો તમે બરફ કે ઠંડુ પાણી થોડા પ્રમાણમાં મિક્સ કરો અને વલોવતા રહો.
ધીમે ધીમે તેમાંથી માખણ ઉપર આવશે. તેને બે હાથથી દબાલી પાણી કાઢીને એક કઢાઈમાં ભેગું કરો.
માખણથી ઘી કેવી રીતે બનાવશો.
ઘી બનાવવા માટે કઢાઈમાં ભેગું કરેલું માખણ ગરમ કરવા મૂકો.
તેને સતત હલાવતા રહો. જેથી માખણ કઢાઈમાં ચોંટશે નહીં.
જ્યારે આ ઘી નીકળીને ઉપર આવવા લાગે ત્યારે તેને ગળણીની મદદથી ગાળી લો અને એક ડબ્બામાં ભરી લો. તમે ઈચ્છો તો ગળણીને બદલે કોટનનું કપડું પણ ઉપયોગમાં લઈ શકો છો.
આ રીતે કરો ઉપયોગ
તમે તમારી ઈચ્છા અનુસાર આ સુગંધિત ઘીનો પ્રયોગ પરાઠામાં, વઘારમાં, ખીચડીમાં કે પૂજામાં પણ કરી શકો છો.