ડાયાબિટીસની બીમારી આજકાલ સામાન્ય બાબત બની ચુકી છે. તેને હળવાશથી લેવી ખતરનાક સાબિત થઇ શકે છે. તમારી અનકન્ટ્રોલ શુગર તમારી આંખોની રોશની છીનવી શકે છે. આ ઉપરાંત તે તમારી કિડની ઉપરાંત શરીરના મહત્ત્વપૂર્ણ અંગો અને દિલ પર ખરાબ અસર કરે છે.
ડાયાબિટીસને નાથવા આ રહ્યાં સરળ ઉપાય
જાણો ડાયાબિટીસના પ્રકારો વિશે
ગળી વસ્તુઓ ખાવામાં રાખો કન્ટ્રોલ
ઘણા લોકો માને છે કે ગળ્યું ખાવાના લીધે આ સમસ્યા થાય છે, પરંતુ એવું નથી. તેનુ સાચું કારણ સ્ટ્રેસ અને ચિંતા પણ છે. આ બીમારી આનુવંશિક પણ હોઇ શકે છે. ક્યારેક તમારી બગડેલી લાઇફસ્ટાલ આ બીમારીને પ્રોત્સાહન પણ આપે છે.
ડાયાબિટીસ બે પ્રકારના હોય છે. ટાઇપ-1 જેમાં ઇન્સ્યુલિન બનવાનું ઓછું કે બંધ થઇ જાય છે. ટાઇપ ટુ ડાયાબિટીસમાં શુગરનું સ્તર વધી જાય છે, જેને કન્ટ્રોલ કરવું મુશ્કેલ બની જાય છે. તેમાં વ્યક્તિનો જીવ પણ જઇ શકે છે.
ઘણા લોકો શુગરની દવા તો ખાઇ લે છે, પરંતુ ખાવા પીવામાં ધ્યાન રાખતા નથી. ડાયાબિટીસ થયા બાદ ગળી વસ્તુઓ અને અન્ય ચીજો પર કન્ટ્રોલ કરવો પડે છે. નહીંતર શુગરનું સ્તર વધી જાય છે.
ડાયાબિટીસમાં શું ખાવું જોઇએ
ડાયાબિટીસના દર્દીઓએ ફાઇબર યુક્ત આહાર વધુ આરોગવો જોઇએ. શાકભાજીમાં શિમલા મિર્ચ, ગાજર, પાલક, બ્રોકોલી, કારેલા, મૂળા, ટામેટાં, કોળું, તુરિયાં અને પરવર ખાવાં જોઇએ. દિવસમાં એક વાર દાળ અને દહીંનુ સેવન પણ કરવું જોઇએ. સાથે જંાબુ, પપૈયુ, આંબળાં અને સંતરાનું સેવન પણ કરવુ જોઇએ. ડાયટમાં સાબુત અનાજ, રાગી, મલાઇ વગરનું દૂધ, બ્રાઉન રાઇઝ અને દલિયાનું સેવન કરવુ જોઇએ.
શું ન ખાવું જોઇએ
કેળાં, દ્રાક્ષ, લીચી, કેરી, તરબૂચ, વધુ મીઠાં ફળ ન ખાવાં જોઇએ. ડાયાબિટીસના રોગીને તેનાથી નુકસાન થઇ શકે છે. કોલ્ડ ડ્રિંક, પ્રોસેસ્ડ ફૂડ, મસાલેદાર ભોજન, ખાંડ. વ્હાઇટ પાસ્તા, સફેદ ભાત, બટાકા, ટેટી ન ખાવાં જોઇએ.
દેશી નુસ્ખા
- જામફળનાં પાનને પાણીમાં ઉકાળીને આ પાણીનું સેવન દિવસમાં બે વાર કરો.
- જાંબુના ઠળિયાનું ચૂર્ણ બનાવીને સવારે ખાલી પેટે હુંફાળા પાણી સાથે સેવન કરો.
- રોજ સવારે ખાલી પેટે મેથીના દાણા ફાકી જાવ. અથવા તો મેથીને રાતે પાણીમાં પલાળીને તે ખાઇ લો અને તેનું પાણી પી જાવ. ડાયાબિટીસ નોર્મલ થઇ જશે.
- કારેલાં અને લીમડાના જ્યૂસનું સેવન કરો, ડાયાબિટીસ મૂળમાંથી ખતમ થશે.