આમળામાં હોય કે એન્ટિબાયોટિક ગુણો. પેટને સ્વસ્થ રાખવાની સાથે બ્લડ પણ કરે છે સ્વચ્છ, ડાયાબિટીસના દર્દીઓએ માટે પણ લાભદાયી
ડાયાબિટીસના રોગમાં આમળા આપશે રાહત
મધ અને આમળાનો રસ પીવાથી થશે ફાયદો
આમળામાં હોય છે એન્ટિબાયોટિક ગુણો
બેઠાડુ જીવન શૈલીને કારણે આપણું શરીર રોગોનું ઘર બને છે. બીપી, સુગર, સહિતની બીમારીઓ થતા વાર નથી લાગતી. ત્યારે ડાયાબીટીસ આજના યુગમાં સૌથી વધારે લોકોમાં જોવા મળી રહ્યો છે. અત્યારે તો નાની ઉંમરના લોકો પણ ડાયાબિટીસનો શિકાર બને છે. ત્યારે આવા રોગોથી બચવા માટે હેલ્ધી ફૂડ ખાવુ જરુરી છે. ત્યારે આવો જાણીએ ડાયાબીટિસના દર્દીઓને શું ખાવુ જોઇએ કે જેથી તેઓને રાહત મળે.
આમળા ડાયાબિટીસમાં પણ ફળદાયી
આમળામાં ઓરેન્જથી વધારે વિટામિન C મળે છે.આ ઉપરાંત પણ આમાં અનેક એવા ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે જે હેલ્થ માટે ફાયદાકારક છે. ઘણા ડોક્ટર્સ અને ડાયટિશીયન પણ રોજ આમળાનો રસ પીવાની સલાહ આપે છે. દરરોજ આમળાનો રસ પીવાથી માત્ર 10 દિવસમાં તેની બોડી પર પોઝિટિવ અસર જોવા મળે છે. ત્યારે આમળા ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફળદાયી હોવાનું સામે આવ્યું છે. ત્યારે આવો જાણીએ કેવી રીતે આમળા થશે મદદરુપ.
આમળા અને મધ એકસાથે ખાવાથી ફાયદો થાય
આમળા સાથે મધ મિક્સ કરીને ખાવામાં આવે તો સૌથી વધારે ફાયદો થાય છે. આ બંને ફૂડ્સમાં સૌથી વધારે ન્યૂટ્રિએન્ટ્સ હોય છે. આંવલા વિટામીન સી ભરપૂર હોય છે. તે એન્ટીસેપ્ટિક, એન્ટીઈંફ્લેમેટરી અને એન્ટીઑકિસડન્ટ ગુણો ધરાવે છે.
1. ડાયાબિટીસમાં મદદરૂપ
આમળાના એન્ટિ-ડાયાબિટીક ગુણો ડાયાબિટીસના દર્દીઓ માટે કોઈ દવાથી ઓછા નથી. જો તેની સાથે મધ ભેળવીને ખાવામાં આવે તો બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં ઘણી મદદ કરી શકે છે.
2.પાચનતંત્ર બનશે મજબૂત
આમળામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે પેટની સમસ્યાઓમાં રાહત આપવામાં મદદ કરે છે. સાથે જ મધ ખાવાથી પાચનતંત્ર સુધરે છે અને મળ-વિસર્જનમાં કોઈ સમસ્યા નથી થતી.
3. વાળ માટે ફાયદાકારક
આપણે જોયું છે કે આમળાનો ઉપયોગ મોટાભાગના વાળની સમસ્યાના ઉત્પાદનોમાં થાય છે. કારણ કે આમળા વાળને સ્વસ્થ રાખે છે. જો તમે તેમાં મધ ભેળવીને સેવન કરો તો માથાની ચામડીમાં થતા ઈન્ફેક્શનથી બચી શકાય છે.
4. રોગપ્રતિકારક શક્તિ બુસ્ટ કરશે
કોરોના યુગમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાની જરૂરિયાત પર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે, જેથી કોઈપણ ચેપના જોખમને ટાળી શકાય. આમળા અને મધનું મિશ્રણ શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે, જે આપણને ઘણી બીમારીઓથી બચાવે છે. વિટામિન સી આમળામાંથી મળે છે અને મધમાંથી શરીરમાં એન્ટિબોડીઝ બનવા લાગે છે.