1 જુલાઈથી સરકારે મ્યુચ્યુઅલ ફંડ ઉપર 0.005% સ્ટેમ્પ ડ્યુટી લાગુ કરી છે. આ નિર્ણય પાછલા નાણાકીય વર્ષના બજેટમાં લેવાઈ ગયો હતો જેનું અમલીકરણ અત્યારે કરવામાં આવ્યું છે. તો તમારે એ સમજવું જરૂરી છે કે રોકાણકાર તરીકે આ સ્ટેમ્પ ડ્યુટીથી તમારા ઈન્વેસ્ટમેન્ટને શું અસર થઇ શકે છે અને તમારે શું ધ્યાન રાખવાની જરૂર છે.
મ્યુચ્યુઅલ ફંડના કયા ટ્રાન્સેક્શન ઉપર લાગશે ટેક્સ?
મ્યુચ્યુઅલ ફંડના ફ્રેશ પરચેઝ, એડિશનલ પરચેઝ, ડિવિડન્ડ રિઇન્વેસ્ટમેન્ટ, સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન, ડિવિડન્ડ ટ્રાન્સફર પ્લાન ઉપર હવે 0.005 સ્ટેમ્પ ડ્યુટી લાડવામાં આવી છે. જો મ્યુચ્યુઅલ ફંડની અવધિ પુરી થઇ ગઈ છે અને ઇન્વેસ્ટર તેનું રિડમ્પશન કરાવે છે તો કોઈ ડ્યુટી લગતી નથી.
પહેલેથી ચાલી રહેલી SIP ઉપર શું અસર થશે?
એવું સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે શેર, ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ, કોમોડિટી અને મ્યુચ્યુઅલ ફંડની તમામ યોજનાઓ માટે સ્ટેમ્પ ડ્યુટી લાગુ થશે. જો નવી SIP ખરીદી હશે તો તેમાં સ્ટેમ્પ ડ્યુટી કાપ્યા પછી જ યુનિટ્સની વિતરણ થશે. જો ઇન્વેસ્ટર એક યોજનાથી બીજી યોજનામાં શિફ્ટ થાય છે તો પણ તેણે સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડશે.
તમારી ઉપર શું પ્રભાવ પડશે?
જો તમે 1,00,010 રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ મ્યુચ્યુઅલ ફંડમાં કર્યું છે તો તેમાંથી પ્રથમ 10 રૂપિયા ટ્રાન્સેકશન ચાર્જ તરીકે કાપીને ડિસ્ટ્રીબ્યુટરને મળશે. આ પછી બાકીની 1,00,000 રૂપિયાની રકમ ઉપર 0.005 ટકા સ્ટેમ્પ ડ્યુટી કાપવામાં આવશે જે માંડ 5 રૂપિયા જેટલી રકમ છે.
કોની ઉપર અસર થશે?
શોર્ટ ડ્યુરેશનમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાવાળા રોકાણકારો, કોર્પોરેટ્સ અને બેંકો ઉપર આની મોટી અસર થશે. જેટલી રોકાણની અવધિ ટૂંકી હશે તેટલું સ્ટેમ્પ ડ્યુટીનું ભારણ વધતું જશે. જો કે એક મહિના માટે ઈન્વેસ્ટ કરે છે તો તેનું વાર્ષિક ભારણ 0.06% હશે. જો રોકાણની અવધિ 0.26% હશે અને જો રોકાણ દરરોજ કરવામાં આવશે તો તેનું ભારણ વધીને 1.82% થઇ જશે.
સરકાર પાસે કેટલા રૂપિયા આવશે?
નાણાકીય વર્ષ 2019-20માં મ્યુચ્યુઅલ ફંડમાં 188 લાખ કરોડનું રોકાણ થયું હતું. જો તેની ઉપર 0.005% ટેક્સ લગાવાય તો 940 કરોડ રૂપિયા થાય છે. આ વર્ષે જો મ્યુચ્યુઅલ ફંડમાં 190 લાખ કરોડનું રોકાણ થશે તો સરકારને આશરે 1000 કરોડની કમાણી થશે.
રોકાણકારે શું ધ્યાન રાખવાની જરૂર છે?
રોકાણકારે હાલમાં એટલું જ ધ્યાનમાં રાખવાનું છે કે તેઓ લોન્ગ ટર્મ એટલે કે લાંબી અવધિ માટે રોકાણ કરે. આ ઉપરાંત તેઓ થોડા થોડા સમયે રોકાણની સ્કીમો નક્કર કારણ વગર બદલ બદલ ન કરે તે પણ જરૂરી છે.