આજના દિવસે મગથી રુદ્રાભિષેક કરવાથી રોગ મટશે અને હ્રીં ઋણમુક્તેશ્વર મહાદેવાય નમઃ મંત્રનો જાપ કરવાથી ફાયદો થશે. આ સાથે જ આજના દિવસે સિંહ રાશિના જાતકોને પરિવારમાં સામાન્ય ખટરાગ થવાની સંભાવના છે. તો કુંભ રાશિના જાતકોને પ્રેમ સંબંધોમાં અનુકૂળતા જણાશે.
શુભાંક - આજનો શુભ અંક છે 3
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે આછો લીલો અને મોરપીંછ
શુભ સમય - આજે શુભ સમય સવારે 10.49 થી બપોરે 12.29 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 12.30 થી 2.12 સુધી
શુભ દિશા : બુધવારે છે મુસાફરી વર્જ્ય
અશુભ દિશા : આજે અશુભ દિશા નૈઋત્ય અને ઈશાન દિશા
રાશિ ઘાત : કર્ક (ડ.હ.)
------------------
શું કરવું? : મગ દ્વારા રુદ્રાભિષેક કરો- રોગ મટશે
શું ના કરવું? : કાચા દૂધનો ઉપયોગ ના કરશો
આજનો મંત્ર : હ્રીં ઋણમુક્તેશ્વર મહાદેવાય નમઃ
આજનું દાન : આખા મગ-કેળાનું દાન કરો
મેષ (અ.લ.ઈ.)
દૈનિક વ્યવહારમાં મુશ્કેલી જણાશે
અગત્યના કામકાજમાં સાવધાની રાખવી
કારણ વગરની ચિંતાઓથી દૂર રહો
આવક-જાવક સમાંતર રહેશે