કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દેશની રાજધાની દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં તબલીગી જમાત (Tablighi Jamaat) વિરુદ્ધ કડક એક્શન લીધું છે. ગૃહ મંત્રાલયે એક્શન લેતા તબલીગી જમાતમાં સામેલ 960 વિદેશીઓને બ્લેકલિસ્ટ કરી દેવાયા છે. જ્યારે તબલીગી જમાતથી સંબધિત ગતિવિધિઓમાં સામેલ હોવાનું સામે આવ્યા બાદ તેમના પ્રવાસન વિઝા પણ રદ્દ કરી દીધા છે.
ગૃહ મંત્રાલયનું દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં તબલીગી જમાત વિરુદ્ધ કડક એક્શન
તબલીગી જમાતમાં સામેલ 960 વિદેશીઓને બ્લેકલિસ્ટ કરી દેવાયા
કેન્દ્રીય ગૃહ મંત્રી કાર્યાલયે આમ જાણકારી આપી છે. ગૃહમંત્રી કાર્યાલયે તબલીગી જમાત વિશે દિલ્હી પોલીસ અને અન્ય સંબંધિત રાજ્યોના પોલીસ ડાયરેક્ટર જનરલને નિર્દેશ આદેશ આપ્યો છે કે તેઓ વિદેશી અધિનિયમ, 1946 અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005ની જોગવાઇ હેઠળ ઉલ્લંઘ કરવા માટે 960 વિદેશીઓની વિરુદ્ધ આવશ્યક કાયદાકીય કાર્યવાહી કરે.
In the case of Tablighi Jamaat,Nizamuddin, 960 foreigners have been blacklisted and their tourist visas cancelled after they were found involved in activities related to Tablighi Jamat: Office of the Home Minister https://t.co/Nq2JRCJBli
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાણકારી આપી છે કે, દિલ્હીમાં કોરોના સંક્રમણના કેસની સંખ્યા વધતી જઇ રહી છે. અહીં અત્યાર સુધીમાં 219 લોકો કોરોના વાયરસથી પોઝિટિવ છે. તેમાંથી 108 દર્દીઓ મરકઝ નિઝામુદ્દીન સાથે સંબંધ ધરાવે છે. અત્યાર સુધીમાં 4 લોકોના કોરોનાથી મોત થઇ ચૂક્યા છે. જેમાંથી 2 લોકો તબલીગી જમાત સાથે જોડાયેલા છે.