કેન્દ્રીય ગૃહમંત્રાલયે સશસ્ત્ર દળના જવાનો માટે એક પોર્ટલ શરુ કર્યું છે જે તેમને નિવૃતી પછી ફરી નોકરી મેળવવામાં મદદ કરશે.
કેન્દ્રીય ગૃહમંત્રાલયે સશસ્ત્ર દળના જવાનો માટે શરુ કર્યું પોર્ટલ
જવાનોને નિવૃતી પછી નોકરી કરવી હોય તો પોર્ટલ કરશે મદદ
જવાનો તેમની વિગતો પોર્ટલ કરી શકશે અપલોડ
આ રીતે તેમને નિવૃતી પછી નોકરી જોઈતી હોય તો મળી રહેશે
સશસ્ત્ર દળો માટે મોદી સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે સીઆરપીએ અને બીએસએફ જેવા કેન્દ્રીય શસ્ત્ર દળોના કર્મચારીઓના લાભ માટે એક પોર્ટલ શરુ કર્યું છે. 'CAPF Punarvaas'નામના પોર્ટલ પર નિવૃત કર્મચારીઓ તેમની તમામ વિગતો અપલોડ કરી શકે છે અને તે મુજબ તેમને નોકરી મળી શકે છે.આ પોર્ટલ તેમને નોકરી શોધી આપવામાં મદદ પુરી પાડશે.
Union home ministry launches portal for benefit of personnel belonging to central armed police forces like CRPF and BSF seeking re-employment after retirement
સશસ્ત્ર દળોના જવાનોને નિવૃતી પછી નોકરી મેળવવામાં કરશે મદદ
ગૃહમંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા એક સત્તાવાર નિવેદનમાં એવું જણાવાયું છે કે સીએપીએફના નિવૃત કર્મચારીઓ તથા આસામ રાઈફલના કર્મચારીઓ ખાનગી સિક્યુરીટી એજન્સીમાં નોકરી કરી શકે તે હેતુસર , ગૃહમંત્રી અમિત શાહની આગેવાનીમાં ગૃહ મંત્રાલયે વેલ્ફેર એન્ડ રિહેબિલિટેશન બોર્ડ દ્વારા સીએપીએફ પુનઃવાસ પોર્ટલ શરુ કર્યું છે.
નિવૃત કર્મચારીઓ માટે ચાલી રહી છે બે વેબસાઈટ
ગૃહ મંત્રાલય ખાનગી સુરક્ષા એજન્સીઓ (પીએસએ)ની નોંધણી માટે ખાનગી સુરક્ષા એજન્સીઓ નિયમન અધિનિયમ (પીએસએઆરએ) હેઠળ એક પોર્ટલ પણ ચલાવે છે. બંને વેબસાઇટને હવે એકબીજા સાથે જોડવામાં આવી છે, જેના દ્વારા 'સીએપીએફ પુનર્વાસ' પર અરજી કરનારા નિવૃત્ત સીએપીએફ કર્મચારીઓના ડેટાબેઝને પીએસએઆરએ વેબસાઇટ મારફતે પીએસએ દ્વારા એક્સેસ કરી શકાય છે, જેના પરિણામે નોકરી શોધનારાઓ અને જોબ પ્રોવાઇડર્સ બંને માટે એક જ પ્લેટફોર્મ ઊભું થાય છે.
ખાનગી એકમો વધતા સિક્યુરીટી મેનની વધી જરુર
સુરક્ષા સેવાઓની જરૂરિયાત ધરાવતા વ્યાવસાયિક એકમોની સંખ્યામાં વધારો થવાથી પીએસએમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે, જેથી સુરક્ષા કર્મચારીઓની જરૂરિયાતમાં વધારો થયો છે.એક તરફ, પીએસએ સીએપીએફના નિવૃત્ત અને ઇચ્છુક કર્મચારીઓના ડેટાબેઝને એક્સેસ કરીને લાભ મેળવશે, જેઓ સુરક્ષા અને અન્ય સુરક્ષા સંબંધિત સેવાઓ પ્રદાન કરવામાં સારી રીતે પ્રશિક્ષિત છે, બીજી તરફ આ પહેલ સીએપીએફના નિવૃત્ત કર્મચારીઓને પીએસએમાં રોજગાર સુરક્ષિત કરવા માટે ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ પ્રદાન કરશે. આ પહેલ સીએપીએફ કર્મચારીઓના કલ્યાણ તરફનું એક પગલું છે અને તેમની પુનર્વસન આવશ્યકતાઓને પૂર્ણ કરવામાં ઘણી આગળ વધશે.
જવાનો અને તેમના પરિવારોના કલ્યાણ સરકારની ટોચની પ્રાયોરિટી
ગૃહમંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સીએપીએફના જવાનો અને તેમના પરિવારોનું કલ્યાણ એ નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારની ટોચની પ્રાથમિકતાઓમાંની એક રહી છે.