લખનઉ બેઠકના ભાજરના ઉમેદવાર રાજનાથ સિંહે આજરોજ મતદાતા જાગૃતતા કાર્યક્રમમાં ઉદબોધન કરતા કહ્યું હતું કે, આગામી સમયમાં જો અમારી સરકાર કેન્દ્રમાં બનશે તો અમે જમ્મુ અને કાશ્મીરમાંથી અનુચ્છેદન 370 અને 35-એ કલમ હટાવી દઇશું.
તેમણે વધુમાં કહ્યું કે, કેટલાક સ્થાનિક સંગઠનોને છોડીને મોટા ભાગની જનતા ભારતની સાથે છે. તો વળી કેટલાક સંગઠનો દ્વારા સ્થાનિક જનતાના મનમાં અલગતાવાદની ભાવના ઉભી કરે છે.
लखनऊ समेत उत्तर प्रदेश के चार लोकसभा क्षेत्रों में आज चुनावी जनसभाओं को सम्बोधित किया। सभी स्थानों पर जनता ने जो स्नेह और समर्थन दिया है उसके लिए मैं सभी को धन्यवाद देते हुए आभार व्यक्त करता हूँ। pic.twitter.com/s5GG9Joe4O
— Chowkidar Rajnath Singh (@rajnathsingh) April 27, 2019
ઉલ્લેખનીય છે કે, અત્યારે કેટલાક સમયગાળા પહેલા જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાને કહ્યું હતું કે, દેશમાં 2 વડાપ્રધાન હોવા જોઇએ એક ભારતના વડાપ્રધાન હોય અને બીજા જમ્મુ-કાશ્મીરના. જો કે, ત્યારે જ અમે કહી દીધું હતુ કે અનુચ્છેદન 370 અને 35-એ હેઠળ જમ્મુ-કાશ્મીરને જે દરજ્જો મળ્યો છે તેની ગંભીરતા પૂર્વક સમીક્ષા થવી જોઇએ.
આ સાથે જ રાજનાથ સિંહે મોદી સરકારની ઉપલબ્ધિઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, ગત પાંચ વર્ષોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર જેટલું પણ કામ થયું છે તેની પ્રશંસા દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ થઇ રહી છે.