કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે દેશના ઈતિહાસકારોને અતીતના ગૌરવને પુનર્જીવિત કરવાની અપીલ કરી છે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ ભારતના ઇતિહાસની વાત કરી
ઈતિહાસને પુનર્જીવિત કરવાની અપીલ કરી
ભારતના અતીતને લોકો સામે લાવવો જોઈએ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે દેશના ઈતિહાસકારોને અતીતના ગૌરવને પુનર્જીવિત કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, તેનાથી ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં મદદ મળશે.ગૃહમંત્રીએ કહ્યું કે, 800-900 વર્ષની સ્વાધીનતાની લડાઈના કારણે આપણે બચેલા છીએ. સંસ્કૃતિને બચાવવા માટે લોકોએ બલિદાન આપ્યા છે. અમુક લોકોએ ઈતિહાસને વિકૃતિ સાથે લખ્યો છે. પણ અમને કોણ રોકી શકશે. સત્યને રોકી શકાતું નથી. સવાઈ માન સિંહે અકબર સાથે સમાધાન કર્યું તો આપણા વિસ્તારમાં સવા નહીં પણ હવા બોલે છે, સવાઈ મહેલને હવાઈ મહેલ કહે છે.
इतिहास हार और जीत के आधार पर नहीं लिखा जाता बल्कि उस घटना ने क्या परिणाम छोड़ा उसके आधार पर लिखा जाता है।
हमारे पूर्वजों ने हजारों साल तक अपनी संस्कृति, भाषा और धर्म के लिए जो लड़ाई लड़ी है वो व्यर्थ नहीं गयी, आज देश फिर से सम्मान के साथ खड़ा हो रहा है। pic.twitter.com/RRxVvzEZMJ
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, આપણા પ્રયત્નો મોટા હોવા જોઈએ. જુઠાણાથી પણ તેને બળ મળે છે. આપણે આઝાદ છીએ, આપણને આપણો ઈતિહાસ લખતા કોઈ રોકી શકવાનું નથી, અમુક લોકોએ ઈતિહાસને એવી રીતે લખ્યો છે કે નિરાશાનો જન્મ થાય. પણ આ ભૂમિમાં નિરાશા હાવી થઈ શકે નહીં, અહીંયા સત્યની જ જીત થાય છે.
इतिहास सरकार और किताबों के आधार पर नहीं बनते हैं, सत्य घटनाओं के आधार पर बनते हैं। pic.twitter.com/lzS3ogDO8U
ગૃહમંત્રી અમિત શાહે વધુમાં કહ્યું કે, બપ્પા રાવલે નાગભટ્ટ અને પ્રતિહાર રાજાઓને સાથે લઈને ઈસ્લામિક આક્રમણકારોને હરાવ્યા હતા.આરબોને ત્યારે ધોળા દિવસે તારા બતાવી દીધા હતા. તેની બહાદુરીના કારણે તેણે 500 વર્ષ સુધી હુમલો કરવાની હિંમત ન કરી. પરંતુ આજના વિદ્યાર્થીઓ તેમના વિશે બહુ ઓછા જાણે છે. ઈતિહાસ બદલવો એ માત્ર સરકારની વાત નથી. તે મહત્વનું છે કે લોકો વાંચે, સંશોધન કરે, સત્યને ઉજાગર કરે. ગેરસમજો દૂર થાય.
किसी भी समाज को अपना उज्ज्वल भविष्य बनाना है तो अपने इतिहास से प्रेरणा और सीख लेकर आगे का रास्ता प्रशस्त करना चाहिए। pic.twitter.com/kMAxlcQj1Y
આ સાથે ગૃહમંત્રીએ એમ પણ કહ્યું કે, ઘણા સામ્રાજ્યો હતા, પરંતુ ઈતિહાસકારોએ માત્ર મુઘલ સામ્રાજ્ય વિશે જ લખ્યું છે. ચાલુક્ય, અહોમ, પલ્લવ જેવા ભવ્ય સામ્રાજ્યોને યોગ્ય સ્થાન મળ્યું નથી. આ બધા પર એક સંદર્ભ પુસ્તક (સંદર્ભ ગ્રંથ) લખવાની જરૂર છે. સત્ય પોતાની મેળે બહાર આવશે. ભારત સરકાર પણ પહેલ કરી રહી છે, પરંતુ જ્યારે સરકારો ઈતિહાસ લખે છે ત્યારે તેમાં સમસ્યા હોય છે. વિદ્વાનો સમાજમાંથી બહાર આવીને સંદર્ભ પુસ્તકો લખે તે યોગ્ય છે.
हमें टीका टिप्पणी छोड़ कर अपने गौरवशाली इतिहास को जनता के सामने रखना चाहिए, जब हमारा प्रयास बड़ा होगा तो झूठ का प्रयास खुद ही छोटा हो जायेगा। इसलिए हमें हमारा प्रयास बड़ा करने में अधिक ध्यान देना चाहिए। pic.twitter.com/Vf3lu9Ec5u
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વધુમાં કહ્યું કે શીખ ગુરુઓ, દુર્ગાદાસ રાઠોડ, બાજીરાવ પેશવા જેવા મહાપુરુષોને ન્યાય મળવો જોઈએ. જો વીર સાવરકર ન હોત તો ઈતિહાસની ઘણી બાબતો સામે આવી ન હોત. આક્રમણખોરો જ્યાં પણ ગયા ત્યાં બધું જ નાશ પામ્યું. ભારતમાં લોકો તેમના ધર્મ, તેમની ભાષા, સંસ્કૃતિ માટે લડ્યા. આક્રમણકારોએ અહીં આવીને રોકાવું પડ્યું. આપણા પૂર્વજો જ્યાં પણ છે, તેઓને ભારતનો ઉદય જોઈને આનંદ થવો જોઈએ.