ગૃહમંત્રી અમિતશાહે આજે અમદાવાદમાં વિકાસના કામોનું લોકાર્પણ કર્યુ. જેમા બોપલ સિવિક સેન્ટરનું ઉદ્ઘાટન કરીને તેમણે 1996ના દિવસો યાદ કર્યા હતા.
ગૃહમંત્રી અમિતશાહ અમદાવાદની મુલાકાતે
બોપલમાં સિવિક સેન્ટરનું કર્યુ લોકાર્પણ
કુલ 244 કરોડના વિકાસના કામોનું કરશે લોકાર્પણ
અમદાવાદમાં આજે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું. જેમા કોર્પોરેશન, ઔડા અને રેલ્વેના કામોનુ તેમણે લોકાર્પણ કર્યું. આ દરમિયાન શહેરના મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર, શહેરના મેયર અને ચેરમેન પણ હાજર રહ્યા હતા. અગાઉ પણ જ્યારે તેઓ અમદાવાદ આવ્યા હતા ત્યારે તેમણે 2 ફ્લાયઓવર બ્રીજનું લોકાર્પણ કર્યું હતું.
244 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ
ગૃહમંત્રી અમિતશાહે આજે 244 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ કર્યું છે. જેમા તેમણે સિવિક સેન્ટર પણ આજથી ખુલ્લું મુક્યું છે. જે સિવિક સેન્ટરનું તેમણે લોકાર્પણ કર્યું છે તે સિવિક સેન્ટર ઐડા દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.
30 વર્ષ સુધી લોકોને પાણી મળી રહેશે
સિવિક સેન્ટરનું ઉદ્ઘાટન કરીને અમિત શાહે લોકોને કહ્યું કે આવનારા 30 વર્ષ સુધી લોકોને પાણી મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવેલ છે. વધુંમાં તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં તેમજ તેઓ વડાપ્રધાન બન્યા ત્યારબાદ સતત ગુજરાતનો વિકાસ થયો છે. તેમણે એવું પણ કહ્યું કે કોઈ પણ પ્રકારના આંદોલન વગર આ વિસ્તારમાં 100 કરોડના વિકાસના કામો થયા છે.
ગૃહમંત્રી અમિતશાહે સ્પીચ આપતી વખતે એવું પણ કહ્યું હતું કે ગરીબ બાળકોને વાંચવા માટે તકલીફ ન પડે તે માટે માટે લાયબ્રેરી બનાવમાં આવી, તેમજ તેમણે કહ્યું કે 29 કરોડના ખર્ચે અમદાવાદ શહેરનાં ચાંદલોડીયા વિસ્તારમાં નવું રેલ્વે સ્ટેશન પણ બનાવામાં આવ્યું છે. ઉપરાંત તેમણે એવું પણ કહ્યું કે 2024 સુધી વિકાસના બધા કામો અગ્રેસર રહેશે.
8.26 કરોડના ખર્ચે કોમ્યુનીટી હોલ તૈયાર કરાયો
ઉલ્લેખનીય છે કે અમિતશાહે આજે વેજલપુરમાં કોમ્યુનીટી હોલનું પણ લોકાર્પણ કર્યું હતું . જે હોલને 8.26 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. આવતીકાલે તેઓ જગન્નાથ મંદિરની મંગળા આરતીમાં પણ હાજરી આપવાના છે.