જામનગરમાં ગોડસે વાદ ભભૂકતો રાખી, પોતાના સ્વાર્થ સાધવા માગતા કેટલાક તત્વોએ હવે ઘરે-ઘરે જઇને 'ગોડસે ગાથા'નું આયોજન વિચાર્યું છે. હિંદુ સેના નામક સંગઠનું આયોજન
જામનગરમાં ગોડસે પ્રેમીઓનું નવું આયોજન
હવે ઘરે ઘરે જઈ ગોડસે ગાથા' કરશે
કોના આશીર્વાદથી થઈ રહ્યા છે આવા આયોજન
જામનગરમાં ગોડસે વાદ ભભૂકતો રાખી, પોતાના સ્વાર્થ સાધવા માગતા કેટલાક તત્વોએ હવે ઘરે-ઘરે જઇને 'ગોડસે ગાથા'નું આયોજન વિચાર્યું છે. હિંદુ સેના નામક સંગઠને આ પૂર્વે ગોડસેની પ્રતિમા ખુલ્લી મુકી હતી. જો કે બાદમાં આ પ્રતિમાને કોંગ્રેસે તોડી નાખી હતી. હવે આ નફ્ફટ સંગઠનના હોદ્દેદારના ઘરે જ સૌથી પહેલા ગોડસેનું મહિમામંડન કરશે. ત્યારે સવાલ ઉઠી રહ્યાં છે કે ગાંધીના ગુજરાતમાં ગોડસેની ગાથા કેમ?. હત્યારાનું મહિમામંડન કેમ ચલાવી લેવાય?. અહિંસાવાદી ગાંધીની પ્રતિભા ભૂંસવાનો પ્રયાસ કેમ? હિંદુસેના સામે કડક હાથે કામ લેવાશે?. હિંદુસેનાને કાયદો બરાબર પાઠ કેમ ન ભણાવે?. ગાંધીજીની છબીને ઝાંખી કરવાનો પ્રયાસ કેમ? ગુજરાતમાં ગાંધી વિરુદ્ધ દુષ્પ્રચાર કેમ?
નવેમ્બરનાં મધ્યમાં થયો હતો વિવાદ
ગાંધીના ગુજરાતમાં ગોડસેની પ્રતિમાથી વિવાદ સર્જાયો છે. જામનગરમાં હિન્દુ સેનાએ ખાનગી આશ્રમમાં નથુરામ ગોડસેની પ્રતિમા મુકતા વિવાદ સર્જાયો છે.હિન્દુ સેનાએ વહીવટી તંત્ર પાસે પણ પ્રતિમા મુકવા જગ્યાની ફાળવણી માટે માંગણી કરી હતી.પરંતુ વહીવટી તંત્ર દ્વારા જગ્યા ન ફાળવતા ખાનગી આશ્રમમાં ગોડસેની પ્રતિમા મુકતા વિવાદ થયો હતો.વિવાદ સર્જાતા કોંગ્રેસના નેતાઓએ ગોડસેની પ્રમિતાને તોડી પાડી હતી.
બે મહિનાથી હિંદુ સેના કરી હતી તૈયારી
જામનગરમાં હિંદુ સેના દ્વારા નથુરામ ગોડસેની પુણ્યતિથિ નિમિત્તે ગોડસેની પ્રતિમા સ્થાપિત કરી ‘ન મરા થા, ન મરેગા, સદીઓ તક જિંદા રહેગા’ના નારા પોકારવામાં આવ્યા હતા. અગાઉ 8 ઓગસ્ટે હિન્દુ સેનાએ ગોડસેની પ્રતિમા મૂકવા આયોજન કર્યું હતું. તંત્રએ પ્રતિમા મૂકવા માટે જગ્યાની ફાળવણી નહીં કરતાં સ્થાનિક હનુમાન આશ્રમમાં સોમવારે પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. હિન્દુ સેનાના ગુજરાતના અધ્યક્ષ પ્રતીક ભટ્ટ તથા મંદિરના મહંત સહિતના લોકોની હાજરીમાં ગોડસેની પ્રતિમા મુકાઈ હતી.