રાષ્ટ્રપતિ રામ કોવિંદની હાજરીમાં બજેટ સત્રની શરૂઆત થઈ છે. આ દરમિયાન રાષ્ટ્રપતિએ સરકારના પાંચ વર્ષનો રિપોર્ટ કાર્ડ અહીં રજૂ કર્યો હતો. જેમાં મહિલા, ખેડૂતો અને સ્વતંત્ર સેનાનીઓ મુખ્ય હતાં.
રાષ્ટ્રપતિ રામ કોવિંદની હાજરીમાં બજેટ સત્રની શરૂઆત થઈ છે. સોમવારે રાષ્ટ્રપતિ કોવિંદે સંસદના બંને સદનની સંયુક્ત બેઠકને સંબોધિત કરી હતી. આ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ એમ. વેંકૈયા નાયડૂ અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા પણ મંચ પર રાષ્ટ્રપતિ કોવિંદ સાથે હાજર રહ્યા ગતા. કાલે એટલે કે, 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં બજેટ 2022 રજૂ કરશે. આપને જણાવી દઈએ કે, આજે અને આવતી કાલે બંને સદનમાં કોઈ શૂન્યકાળ નહીં હોય. પોતાના અભિભાષણમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કોરોના વાયરસની મહામારી અને આઝાદીના અમૃત મહોત્સવ સહિત કેટલાય મુદ્દા પર પોતાના વિચારો પ્રગટ કર્યા હતા.
રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનની શરૂઆત કોરોના વાયરસની ત્રીજી લહેરથી કરી હતી. તેમણે કહ્યું કે, કોરોના વાયરસથી આવેલી વૈશ્વિક મહામારીનું આ ત્રીજી વર્ષ છે. આ દરમિયાન આપણે ભારતના લોકોની લોકતાંત્રિક મૂલ્યોની આસ્થા, અનુશાસન અને કર્તવ્યપરાયણતાને વધારે મજબૂત થતી જોઈ છે.
સ્વતંત્ર સેનાનીઓને કર્યા યાદ
રાષ્ટ્રપતિએ આગળ કહ્યું, હું દેશના એ લાખો સ્વાધીનતા સેનાનીઓને નમન કરુ છું, જેમણે પોતાના કર્તવ્યોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી અને ભારતને તેના અધિકારો અપાવ્યા. આઝાદીના આ 75 વર્ષોમાં દેશની વિકાસ યાત્રામાં પોતાનું યોગદાન આપનારા તમામ મહાનુભાવોને પણ હું શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરું છું.
રાષ્ટ્રપતિએ કહ્યું કે, કોવિડ 19 વિરુદ્ધની લડાઈમાં ભારતના સામર્થ્યનું પ્રમાણ વેક્સિન પ્રોગ્રામમાં દેખાઈ આવે છે. આપણે એક વર્ષથી પણ ઓછા સમયમાં 150 કરોડથી વધારે વેક્સિન ડોઝ લગાવાનો રેકોર્ડ બનાવ્યો છે. આજે આપણે દુનિયામાં સૌથી વધારે વેક્સિન ડોઝ આપનારા દેશોની હરીફાઈમાં ટોચ પર છીએ.
હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન સરાહનીય
રાષ્ટ્રપતિએ કહ્યું કે, સરકાર દ્વારા 64 હજાર કરોડ રૂપિયાના ખર્ચે શરૂ થયેલા પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન એક સરાહનીય ઉદાહરણ છે. તેનાથી વર્તમાનની સ્વાસ્થ્ય સંબંધિત જરૂરિયાતોને પુરી કરવામાં મદદ જ નથી મળી પણ આવનારા સંકેટો માટે દેશને તૈયાર પણ કરી શકાય છે. મારી સરકારની સંવેદનશીલ નીતિઓના કારણે દેશમાં હવે સ્વાસ્થ્ય સેવાઓ જન સાધારણ સુધી સરળતાથી પહોંચી રહી છે. 80 હજારથી વધારે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ અને કરોડોની સંખ્યામાં આપવામાં આવેલા આયુષ્યમાન ભારત કાર્ડથી ગરીબોને સારવારમાં મદદ મળી છે.
સંસદના બંને સદનની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે, ડિજીટલ ઈંડિયા અને ડિજીટલ ઈકોનોમીના વધતા પ્રસારના સંદર્ભમાં દેશના UPI પ્લેટફોર્મની સફળતા માટે સરકારના વિજનની પ્રશંસા કરીશ. ડિસેમ્બર 2021માં દેશમાં 8 લાખ કરોડથી વધારેની લેવડદેવડ UPIના માધ્યમથી થઈ હતી.
મહિલા પોલીસ કર્મીઓની સંખ્યા બમણી
રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું કે, મારી સરકારના નીતિગત નિર્ણય અને પ્રોત્સાહનથી અલગ અલગ પોલીસ ફોર્સમાં મહિલા પોલીસ કર્મીઓની સંખ્યામાં 2014ની સરખામણીએ બે ગણો વધારો થયો છે.
લગ્નની ઉંમર 21 વર્ષ કરવા પર સરકારના વખાણ
મહિલા સશક્તિરણ મારી સરકારી ઉચ્ચ પ્રથામિકતાઓમાની એક છે. દિકરા-દિકરીઓને સમાનતાનો દરજ્જો આપતા મારી સરકારે મહિલાઓના વિવાહ માટે ન્યૂનત્તમ વય 18 વર્ષથી વધારેને પુરુષ સમાન 21 વર્ષ કરવાનું બિલ સંસદમાં રજૂ કર્યું છે. સરકારે ત્રણ તલ્લાક કાયદાને ગુનો જાહેર કરીને સમાજની કુપ્રથાથી આઝાદી અપાવાની શરૂઆત કરી છે. મુસ્લિમ મહિલાઓને હઝ યાત્રા કરવાના પ્રતિબંધો પણ હટાવ્યા છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે, મારી સરકારની નીતિઓના કારણે આજે ભારત એ દેશોમાં છે, જ્યાં ઈન્ટરનેટરની કિંમત સૌથી ઓછી છે તથા સ્માર્ટ ફોનની કિંમત પણ સસ્તી છે. તેનો સૌથી મોટો લાભ ભારતની નવયુવાન પેઢીને મળી રહ્યો છે.
સૌથી ઝડપી વિકસીત થતી અર્થવ્યવસ્થા
રાષ્ટ્રપતિએ કહ્યું કે, સરકારના નિરંતર પ્રયાસોથી ભારત ફરી એક વાર વિશ્વની સર્વાધિક ઝડપથથી વિકસીત થતી અર્થવ્યવસ્થાઓમાની એક છે. આ નાણાકીય વર્ષના પહેલા 7 મહિનામાં 48 બિલિયન ડોલરના વિદેશી રોકાણ આવવું, તેનાથી આંતરરાષ્ટ્રીય રોકાણ ભારતના વિકાસને ભોરાસાપાત્ર બનાવે છે. સરકારની નીતિઓના કારણે ડિફેંસ સેક્ટરમાં ખાસ કરીને રક્ષા ઉત્પાદનમાં દેશની આત્મ-નિર્ભરતા સતત વધી રહી છે.
અફઘાન મૂળના અલ્પસંખ્યકોની મદદ
રાષ્ટ્રપતિએ કહ્યું કે, આપણે અનેક પડકારો છતાં, આપણા કેટલાય નાગરિકો અને કેટલાય અફઘાની હિન્દુ-શિખ- અલ્પસંખ્યકોને કાબૂલથી સફળતાપૂર્વક એરલિફ્ટ કર્યા, તેના માટે ભારતે ઓપરેશન દેવી શક્તિ ચલાવ્યું હતું.