ખેડૂત નેતાઓએ દિલ્હીની 26 જાન્યુઆરીની હિંસાની ઉચ્ચ સ્તરીય ન્યાયિક તપાસ કરવાની માગ ઉઠાવી છે.
ખેડૂતોની સામે ખોટા કેસો કરાયા છે
નોટીસ મળે તો પણ ખેડૂતોએ પોલીસમાં હાજર ન થવું
સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના નિવૃત જજ દ્વારા 26 જાન્યુઆરીની હિંસાની તપાસ થવી જોઈએ
સિંધુ બોર્ડર પર પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા સંયુક્ત કિશાન મોરચાના નેતાઓએ એવો આક્ષેપ કર્યો કે ખેડૂતોની સામે ખોટા કેસો કરાયા છે.
કિશાન મોરચાના નેતાઓએ ખેડૂતોને એવી પણ સલાહ આપી કે નોટીસ મળે તો પણ ખેડૂતોએ પોલીસમાં હાજર ન થવું અને તેને બદલે યુનિયન દ્વારા બનાવાયેલા લીગલ સેલનો સંપર્ક સાધવો.
ટ્રેક્ટર રેલીમાં સામેલ 16 ખેડૂતોની હજુ સુધી કોઈ ભાળ મળી નથી.
કિશાન મોરચાના મેમ્બર કુલદીપ સિંહે એવો આક્ષેપ કર્યો કે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના નિવૃત જજ દ્વારા 26 જાન્યુઆરીની હિંસાની તપાસ થવી જોઈએ અને આ હિંસા પાછળનું ષડયંત્ર ખુલ્લુ પાડવું જોઈએ, તેમણે કહ્યું કે ખેડૂતોની સામે ખોટા કેસ કરાયા છે. તેમણે કહ્યું કે ટ્રેક્ટર રેલીમાં સામેલ 16 ખેડૂતોની હજુ સુધી કોઈ ભાળ મળી નથી.
કિશાન મોરચો ખેડૂતોને કાનૂની સહાય પૂરી પાડશે
કિશાન મોરચાના બીજા નેતા રવિન્દર સિંહે જણાવ્યું કે 44 એફઆઈઆરના સંબંધમાં દિલ્હી પોલીસે 122 ખેડૂતોની ધરપકડ કરી છે અને કિશાન મોરચો આ તમામ ખેડૂતોને કાનૂની સહાય પૂરી પાડશે. મોરચાના નેતાઓએ દાવો કર્યો કે ખેડૂતોની સામે લૂંટ, ખૂનનો પ્રયાસ તથા પજવણીના ખોટા કેસ કરાઈ રહ્યાં છે. તેમણે કહ્યું કે કિશાન મોરચા દ્વારા દરેક ખેડૂતને રુ. 2000 ની સહાય પુરી પાડવામાં આવશે.