કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને હાઇકોર્ટની રાહત મળી છે. કુંવરજી બાવળિયા સામે જમીન પચાવી પાડવા મામલે નોંધાયેલ ફરિયાદ રદ્દ કરવાનો હાઇકોર્ટનો આદેશ આપ્યો છે.
કુંવરજી બાવળિયા સામે FIR રદ્દ કરવાનો હાઇકોર્ટનો આદેશ
વર્ષ 2005માં જમીન પચાવી પાડવાનો કુંવરજી સામે હતો આક્ષેપ
કેસમાં સમાધાનથી અનેક તર્ક-વિતર્ક
વર્ષ 2005માં જમીન પચાવી પાડવાનો કુંવરજી બાવળિયા સામે આક્ષેપ હતો. કુંવરજી બાવળિયાએ કેસ રદ્દ કરવાની અરજી કરી હતી. ત્યારબાદ હવે હાઇકોર્ટે
કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા વિરૂદ્ધ દાખલ ફરિયાદ રદ્દ કરવાનો આદેશ આપ્યો છે. સરકારી જમીન પોતાના ટ્રસ્ટના નામે કરાવી હોવાનો અમરાપુરા ગામના સરપંચે આક્ષેપ લગાવ્યો હતો.
સરપંચ અને બાવળિયા વચ્ચે થયું સમાધાનઃ સૂત્ર
વિંછિયાના અમરાપુર ગામે જમીન વિવાદમાં કેસ થયો હતો. 2005માં અમરાપુરાના સરપંચે કુંવરજી બાવળિયા સામે ફરિયાદ કરી હતી. સરપંચ અને કુંવરજી બાવળિયા વચ્ચે સમાધાન થયાની સૂત્ર દ્વારા માહિતી મળી રહી છે. મુખ્યમંત્રીએ સમાધાન કરાવ્યું હોવાનો સરપંચે દાવો કર્યો છે. કુંવરજી બાવળિયાએ કેસ રદ્દ કરવા હાઇકોર્ટમાં અરજી કરી હતી. 2011માં કેસમાં ચાર્જશીટ ફાઇલ થઇ હતી. જે કેસમાં સજા પહેલા સમાધાન થયાની ચર્ચાએ જોર પકડ્યું છે. કેસ થયો તે સમયે કુંવરજી બાવળિયા કોંગ્રેસમાં હતા. ભાજપમાં જોડાયા બાદ કેસમાં સમાધાનથી અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. હાલ હાઇકોર્ટે કુંવરજી બાવળિયા સામે FIR રદ્દ કરવાનો આદેશ આપ્યો છે.