અમેરિકાના મુખ્ય મહામારી ઍક્સ્પર્ટ ડો. એન્થોની ફૌસીએ કહ્યું છે કે જો કોરોના વાયરસની મહામારીને ખતમ કરવા માટે જો હર્ડ ઈમ્યુનિટીની કોશિશ કરવામાં આવે છે તો મોટા પાયે મોત નોંધાશે. તેમણે કહ્યું હતું કે જો દરેક વ્યક્તિ કોરોનાથી ચેપ લગાવે છે અને જે લોકો લક્ષણો વગર બીમાર થાય છે તો પણ ઘણાં વધુ લોકોની મોત થશે.
વિશ્વમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો
હર્ડ ઈમ્યુનીટી કરવાના પ્રયત્નો કર્યા તો મોટા પાયે મોત થશે : ફૌસી
ફૌસીએ હર્ડ ઈમ્યુનીટીને જોખમી ગણાવી
ફૌસીએ કહ્યું કે કોઈ પણ રોગથી પીડિત લોકો માટે કોરોના વાયરસ ખૂબ જ જોખમી સાબિત થાય છે. મેદસ્વીપણું, હાયપરટેન્શન અથવા ડાયાબિટીઝ સાથે લડતા લોકો માટે કોરોના ખૂબ જોખમી છે. આને કારણે, હર્ડ ઈમ્યુનિટી પ્રાપ્ત કરવી જોખમી સાબિત થઈ શકે છે.
હર્ડ ઈમ્યુનિટી એ પરિસ્થિતિને કહેવાય છે જ્યારે વસ્તીના એટલા લોકો સંક્રમિત થઈ જાય કે વાયરસ ફેલાતો અટકી જાય. આ ઈમ્યુનિટી બે રીતે હાંસલ કરી શકાય છે, એક લોકોને વૅક્સિન આપવામાં આવે અને બીજી લોકોને જાતે જ સંક્રમિત થઈને ઠીક થવા દેવામાં આવે.
એક એવું આંકલન થઈ રહ્યું છે કે કોરોના વાયરસના મામલામાં હર્ડ ઈમ્યુનિટી માટે 60થી 70 ટકા આબાદી સંક્રમિત થવી જરૂરી છે. આ પહેલા એક્સપર્ટ્સ એ પણ ચિંતા વ્યક્ત કરી હતી કે કોરોનાથી ઠીક થનારા લોકો કેટલા દિવસ સુધી વાયરસથી સુરક્ષિત રહે છે, તેને લઈને હાલ કોઈ એવો પર્યાપ્ત ડેટા ઉપલબ્ધ નથી.
JHB સ્કૂલ પબ્લિક હેલ્થના મહામારી નિષ્ણાંત ડો.ડેવિડ ડૉડીએ જણાવ્યું હતું કે જો કોરોનાની કુદરતી રોગપ્રતિકારક શક્તિ 3થી 6 મહિનામાં સમાપ્ત થઈ જાય, તો આપણે આપણે હર્ડ ઈમ્યુનિટી વિશે વાત પણ ન કરવી જોઈએ.