અહેવાલ મુજબ ભારત સરકાર હવે કોરોના વેક્સિન નહીં ખરીદે. એ સાથે જ કોરોના વેક્સિન માટે બજેટમાંથી ફાળવવામાં આવેલ રૂપિયા પણ નાણાં મંત્રાલયને પાછા કરશે.
અહેવાલ છે કે ભારત સરકાર હવે કોરોના વેક્સિન નહીં ખરીદે
વેક્સિન માટે બજેટમાંથી ફાળવવામાં આવેલ રૂપિયા પણ પાછા કરશે
હાલ દેશમાં કોરોનાની સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં
દેશમાં હવે કોરોનાની સ્થિતિ કાબુમાં આવી ગઈ છે. કોરોના સંક્રમણણઆ કેસ પણ ઓછા આવી રહ્યા છે અને તેને કારણે થતી મૃત્યુનો આંક પણ ઘણો ઘટી ગયો છે. વધુ પડતાં લોકોએ કોરોના વેક્સિન લગાવી લીધી છે. હવે આ તમામ પાસાઓને જોઈને આરોગ્ય મંત્રાલય કોરોના વેક્સિન ન ખરીદવાનું વિચારી રહ્યું છે. મળતા અહેવાલ મુજબ ભારત સરકાર હવે કોરોના વેક્સિન નહીં ખરીદે. એ સાથે જ કોરોના વેક્સિન માટે 4,237 કરોડ રૂપિયા બજેટમાંથી ફાળવવામાં આવ્યા હતા એ પણ નાણાં મંત્રાલયને પાછા આપવા માટે તૈયારી ચાલી રહી છે.
સરકાર કોરોના વેક્સિન કેમ નહીં ખરીદે?
સરકારનો આ વિચારણા પાછળનો તર્ક એ છે કે હાલ દેશમાં કોરોનાની સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને સાથે જ વેક્સિનની પણ કોઈ જ અછત નથી.કોરોનાના કેસો ઘટતા લોકોમાં વેક્સિન લેવાનું પ્રમાણ ઘટ્યું છે. હાલ દરેક રાજ્ય પાસે વેક્સિનનો પૂરતો સ્ટોક છે. અને જો પછી જરૂર પડી તો જરૂરિયાત મુજબ ખાનગી હોસ્પિટલો કંપનીઓ પાસેથી સીધી વેક્સની ખરીદી શકે છે. આવી સ્થિતિમાં હવે થોડા સમય માટે સરકાર કોરોના વેક્સનીની ખરીદી બંધ કરવા જઈ રહી છે. જાણકારી માટે જણાવી દઈએ કે ગયા વર્ષે 16 જાન્યુઆરીથી વેકસીનેશન અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. સૌથી પહેલા દેશમાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું અને એ પછી 1લી એપ્રિલથી 45 વર્ષથી વધુ ઉંમરના લોકોનું વેકસીનેશન અને એ પછી 1લી મેથી 18+ લોકોને વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી હતી.
કેટલા લોકોએ લગાવી છે વેક્સિન
કોરોના મહામારીની શરૂઆતથી લઈને અત્યાર સુધી દેશમાં આ રસીકરણ અભિયાને ઘણા રેકોર્ડ તોડ્યા છે. હાલમાં દેશની 98 ટકા પુખ્ત વસ્તીએ વેક્સિનનો પહેલો ડોઝ લગાવી લીધો છે અને જ્યારે 92 ટકા એવા છે જેમને બંને ડોઝ લગાવી લીધા છે. આ કારણે જ સરકાર હાલમાં વધારાની કોરોના વેક્સિન ન ખરીદવાનો વિચાર કરી રહી છે.