મુંબઇ અને આસપાસના વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે માયાનગરીની રફતાર ધીમી થઇ ગયેલી જોવા મળી છે. ભારે વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાયા છે.
ભારે વરસાદના મહારાષ્ટ્રના રત્નાગિરીમાં તિવાર ડેમ તૂટવાના કારણે 19 લોકોના મોત નિપજ્યાં હતા અને 9 લોકો હજુ પણ લાપતા છે. જો કે મુંબઇ અને આસપાસના વિસ્તારોમાં હજુ પણ વરસાદને લઇને રાહતના સમાચાર નથી.
— Shubham Wankhede (@ShubhamWankh_SW) July 6, 2019
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચાર દિવસ સુધી મુંબઇ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. મહારાષ્ટ્રના કોંકણમાં પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થઇ હોવાના કારણે મુંબઇમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
પૂણે હવામાન વિભાગની આગાહી મુજબ 96 કલાક સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે મુંબઈ શહેરમાં વરસાદનું જોર યથાવત છે. શહેરના ઠાણે, કલ્યાણ, ડોંબિવલી, બોરીવલી, અંધેરી, ગોરેગાંવમાં મૂશળધાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા પણ ઉભી થઈ છે.
ભારે વરસાદ બાદ મુખ્ય રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. જ્યારે વરસાદ પડતા ભારે ટ્રાફિકજામના દ્રશ્યો પણ જોવા મળ્યા. મહત્વનું છે કે, ગઈ કાલે પણ આખો દિવસ મુંબઈમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. છેલ્લા 10 દિવસમાં મુંબઈમાં સિઝનનો 50 ટકા વરસાદ વરસાદ નોંધાયો છે. અત્યારસુધીમાં મુંબઈમાં 40 ઈંચથી પણ વધુ વરસાદ વરસી ચૂક્યો છે.