અમદાવાદ શહેરમાં ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. શહેરના જજીસ બંગ્લો વિસ્તારમાં ગટરો ઉભરાઇ છે. જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. અખબાર નગર, શાહિબાગ, વેજલપુર, નારાણપુરા સહિતના પાંચ અંડરબ્રિજ બંધ કરાયા છે. સાબરમતી નદીમાં પાણીની આવક વધી છે. સાબરમતી નદીમાં વાસણા બેરેજના પાંચ દરવાજા ખોલાયા છે.
અમદાવાદ શહેરશહેરના પશ્ચિમ અને પૂર્વ વિસ્તાર ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. એક કલાકમાં અમદાવાદમાં ચોતરફ પાણી પાણી થઇ ગયું છે. શહેરના અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યા છે. અખબાર નગર અંડરબ્રીજમાં પાણી ભરાયું છે. પાણી ભરાતા વાહનચાલકો અટવાયા છે. તો સાબરમતી નદીમાં પાણીની આવક વધતા વાસણા બેરેજના પાંચ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે.
શહેરના પાલડી, સાયન્સસીટી, મણિનગર, જીવરાજપાર્ક, વેજલપુર, શિવરંજની, નહેરુનગર, જોધપુર, ગુલબાઈ ટેકરા, એસજી હાઇવે વિસ્તારમાં વરસાદ ભારે વરસાદ વરસ્યો છે. આંબાવાડી, ભૂયંગદેવ, સત્તાધાર, નારણપુરામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. જ્યારે શહેરના વસ્ત્રાલ, રામોલ, રિંગ રોડ, પંચવટી, ગોતા, આશ્રમ રોડ, ચંદખેડા, પ્રહલાદનગર, વાડજ, રાણીપ, બાપુનગર, સરસપુર, રખિયાલ, બોપલ, આંબલી, નવરંગપુરા, ખાડીયા, સીટીએમ, સરખેજ, જૂહાપુરા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે.
ક્યાં કેટલો વરસાદ?
ચાંદાખેડામાં 2 ઈંચ વરસાદ
ઉસ્માનપુરામાં 2 ઈંચ વરસાદ
નરોડામાં 1 ઈંચ વરસાદ
કોતરપુરમાં સવા ઈંચ વરસાદ
વિરાટનગરમાં 1 ઈંચ વરસાદ
દૂધેશ્વરમાં 2 ઈંચ વરસાદ
બોડકદેવમાં પોણા 2 ઈંચ વરસાદ
મહત્વનું છે કે, આવનાર પાંચ દિવસ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં છુટા છવાયા વરસાદી ઝાપટાની સંભાવના છે. ત્યારે સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, પોરબંદર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવાની સંભાવના છે.
પાંચમા નોરતા પહેલા વિદાય નહીં થાય ચોમાસુંઃ હવામાન વિભાગ
નવરાત્રીના ગણતરીના દિવસો બાકી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર ભારે વરસાદની આગહી કરવામાં આવી છે. ત્યારે આવનાર ૩ તારીખ સુધી વરસાદની આશંકા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારે હવામાન વિભાગના નિયામક જયંત સરકારે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદ રાજ્યમાં વરસાદની સંભાવના છે. જો કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની આશંકા વ્યક્ત કરી હતી. સાથે સાથે દરિયાકાંઠા પર વિસ્તારના માછીમારોને દરિયો નહીં ખેડવાનું સુચન કરવામાં આવ્યું છે. તેમજ માછીમારી માટે દરિયાકાંઠા લોકોને એલર્ટ કરવમાં આવ્યાં છે. 3 ઓક્ટોબર સુધી વરસાદ થવાની નહીવત્ શક્યતા છે.