હિંદુ ધર્મમાં શબને અગ્નિદાહ આપવામાં આવે છે જ્યારે ઇસ્લામમાં દફન વિધી કરવામાં આવે છે ત્યારે વિવિધ દેશોમાં પણ અંતિમ ક્રિયા કરવાની પોતાની એક રીત હોય છે
વિવિધ દેશોમાં અંતિમ સંસ્કારની રીત
ક્યાંક કરવામાં આવે છે ઘરમાં જ દફનવિધી
તો ક્યાંક શબના કરાય છે ટુકડે ટુકડા
દરેક ધર્મની પોતાની એક રીત હોય છે, પરંપરા હોય છે. પછી તે લગ્નની વિધી હોય કે અંતિમ સંસ્કારની વિધી. દરેક ધર્મમાં તેની વિધી અલગ હોય છે તેવી જ રીતે વિવિધ દેશોમાં પણ અંતિમ સંસ્કારની રીત અલગ જોવા મળે છે. તેમાંથી ઘણી તો પરંપરા એવી અજીબ છે કે સાંભળીને રુવાંટા ખડા થઇ જાય.
રડવાનું નહી
આપણું વ્યક્તિ આપણી આપણાથી દૂર જાય તો આંસુ આવે તે સામાન્ય વાત છે . પરંતુ ઇન્ડોનેશિયાના બાલીમાં આવુ નથી. અહીં કોઇ વ્યક્તિ મરી જાય તો એવુ માનવામાં આવે છે કે તે સૂઇ ગયો છે. તે વ્યક્તિ જીવીત જ માનવામાં આવે છે. જેથી જો કોઇનું મૃત્યુ થાય તો આંસુ વહેવડાવા મનાઇ છે. લોકો અંહી પોતાના સ્વજનોને ગુમાવવા પર રોતા નથી.
ઊંચાઇે લટકાવી દેવાય છે શબ
ચીન અને ફિલિપાઈન્સમાં એવું માનવામાં આવે છે કે જો મૃત શરીરને ઊંચાઈ પર લટકાવવામાં આવે તો તેની આત્મા સીધી સ્વર્ગમાં જાય છે. તેથી અહીં ઘણી જગ્યાએ વ્યક્તિના મૃત્યુ પછી તેના શબને શબપેટીમાં રાખવામાં આવે છે અને ઉંચા ખડકો પર લટકાવવામાં આવે છે.
ઘરે જ દફનવિધી
દક્ષિણ મેક્સિકોના મયમાં, મોટાભાગના મૃતદેહોને ઘરે દફનાવવામાં આવે છે. અહીંના લોકોનું એવુ માનવુ છે કે જો ઘરમાં જ દફનવિધી કરવામાં આવે તો સંબંધીઓ પોતાના પ્રિયજનો સાથે રહે છે. જો કે તેની પાછળનું એક કારણ ગરીબી પણ છે કારણ કે અહીં ઘણા લોકો પાસે એટલા પૈસા નથી કે તેઓ બહાર જઈને મૃતકોના અંતિમ સંસ્કાર કરી શકે.
આત્મા શરીરમાં પાછો ફરે
વિયેતનામમાં ઘણી જગ્યાએ એવું માનવામાં આવે છે કે જો મૃતકની આત્માને સંપૂર્ણ શ્રદ્ધા સાથે બોલાવવામાં આવે, તો તે તેના શરીરમાં ફરીથી પ્રવેશ કરી શકે છે. આ માટે વ્યક્તિના મૃત્યુ પછી તેનો મોટો દીકરો અથવા પુત્રી મૃત શરીરના કપડાં ઉતારે છે અને તેને હવામાં લહેરાવે છે અને દિલથી મૃતકને બોલાવે છે, જેથી તેનો આત્મા પાછો આવે.
મૃત શરીરના નાના ટુકડા કરો
ત્યારે વાત કરીએ તિબેટની તો તિબેટમાં વ્યક્તિના મૃત્યુ પછી તેના ટુકડે ટુકડા કરીને ગીધને ખવડાવવામાં આવે છે. તેને સ્કાય બરિયલ કહેવામાં આવે છે. એટલે કે આકાશમાં અંતિમ સંસ્કાર કરવા. આમ કરવા પાછળ આ લોકોનું એવું માનવું છે કે ગીધની ઉડાન સાથે વ્યક્તિનો આત્મા પણ ઊડીને સ્વર્ગમાં પહોંચી જાય છે.