અયોધ્યાના રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હજી ચાલી રહી છે. આ કેસમાં મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં 5 ન્યાયાધીશોની ખંડપીઠ દરરોજ સુનાવણી કરી રહી છે, જેમાં આ કેસમાં અઠવાડિયાના પાંચ દિવસ સુનાવણી ચલાવવામાં આવી રહી છે. મંગળવારે અદાલતે ફરી એકવાર રામલલાના વકીલ પાસેથી રામજન્મભૂમિ પરના દાવા અંગે પુરાવા માંગ્યા છે.
શુક્રવારે કેસની છેલ્લી સુનાવણીમાં વકફ બોર્ડે 5 દિવસ સુધી સુનાવણીનો વિરોધ કર્યો હતો, જોકે કોર્ટે આ વિરોધ સ્વીકાર્યો નથી. મંગળવારે રામલલ્લાના વકીલે પણ પોતાની દલીલો રજૂ કરી હતી. મંગળવારે કોર્ટમાં આ મામલે શું સુનાવણી થઈ હતી, તેની લાઇવ અપડેટ નીચે મુજબ છે.
4.46 PM: વરીષ્ઠ વકીલ રાજીવ ધવને હિંદૂ પક્ષની દલીલ ઓબ્જેક્શન કરતા કહ્યું કે, અત્યાર સુધી અદાલતમાં કોઇ સાક્ષી રજૂ કરવામાં આવ્યા નથી. તમામ દલીલો માત્ર અલ્હાબાદ હાઇકોર્ટના નિર્ણય પર આધારિત છે. જેના પર સુપ્રીમ કોર્ટે ધવનને કહ્યું કે તેઓ મુસ્લીમ પક્ષોનું પ્રતિનિધિત્વ કરે અને અન્ય પક્ષોની ચર્ચામાં વિધ્નરૂપ ન બને.
03.38 PM: રામલલ્લાના વકીલ વૈદ્યનાથે કહ્યું કે તે ઐતિહાસિક તથ્ય છે કે લોકો બહારથી ભારત આવ્યા હતા અને તેમણે મંદિરો તોડી નાખ્યા હતા. ઇતિહાસના કેટલાક અહેવાલોમાં તેનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે કે બ્રિટીશ કાળ દરમિયાન હિન્દુઓને દૂર રાખવા માટે એક દિવાલ બનાવવામાં આવી હતી. કોઈપણ રિપોર્ટમાં નમાઝ કરવામાં આવતો હોવાનો ઉલ્લેખ નથી.
02.57 PM: જો હિન્દુઓએ પૂજા માટે જગ્યા બનાવી અને તેને તોડવાનો આદેશ આપવામાં આવ્યો. પરંતુ અમે તેના વિશે જાણકારી મળી નથી. મુસ્લિમો દ્વારા ત્યાં 1528 થી 1855 સુધી નમાજ માટે જવાની વાતનું કોઈ તથ્ય નથી. હાઈકોર્ટે પણ આ મામલે ઉલ્લેખ કર્યો છે.
આ દરમિયાન જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે, આપનો દુનિયો જોવાનો નજરિયો માત્રા તમારો નજરીયો છે પરંતુ તમારી જોવાની રીત માત્ર એક નજરીયો હોય તેવું શક્ય નથી. તેમણે વધુમાં જણાવ્યું કે, એક નજરીયો તે છે કે, સ્થાન પોતાનામાં ઇશ્વર છે અને બીજો નજરીયો એ છે કે, ત્યાં અમે પૂજા કરવાનો હક મળવો જોઇએ.
02.35 PM: સુપ્રીમ કોર્ટે રામલલ્લા બિરાજમાનને જમીનના કબજાના પુરાવા રજૂ કરવા જણાવ્યું છે. બંધારણની ખંડપીઠે કહ્યું કે તમે સુન્ની વકફ બોર્ડના દાવાને નકારી રહ્યા છો, તમે તમારો દાવો કેવી રીતે સાબિત કરશો.
ત્યારબાદ રામલલ્લાના વકીલ વૈદ્યનાથે કહ્યું કે અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશોના ચુકાદામાં કોઈ વૈચારિક સુસંગતતા નથી. રામલલ્લા એ બિરાજમાન દેવતા છે, બીજા સ્થાને તેઓ કહે છે કે તે સંપત્તિનો માલિક છે. જ્યારે તે સ્થાન પોતાનામાં પૂજનીય છે અને દેવતા છે, તો એમ કહી શકાય નહીં કે ભગવાન ત્યાં વસે છે. આવી સ્થિતિમાં, સામૂહિક કબ્જો થઈ શકતું નથી.
12.46 PM: સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે રામલલ્લાનું જન્મસ્થળ ક્યાં છે? જેના પર રામલલ્લાના વકીલ વૈદ્યનાથને કહ્યું કે, અલાહાબાદ હાઈકોર્ટે બાબરી મસ્જિદના મુખ્ય ગુંબજની નીચેના સ્થાનને ભગવાન રામનું જન્મસ્થળ માન્યું છે. વકીલે કહ્યું કે મુસ્લિમ પક્ષ વતી વિવાદિત સ્થળે તેની માલિકી સાબિત થઈ નથી. જો કે, તેમણે એમ પણ કહ્યું હતું કે જ્યારે પણ હિન્દુઓ પૂજા માટે ખુલ્લી મુક્તિ માંગે છે ત્યારે વિવાદ શરૂ થાય છે.
12.30 PM: રામલલ્લા તરફથી વરીષ્ઠ વકીલ વૈધનાથે કહ્યું કે, 72 વર્ષના મોહમ્મદ હાશિમે જુબાની આપતા કહ્યું કે, હિંદુઓ માટે અયોધ્યા એટલુ મહત્વ રાખે છે જેટલું મુસલમાનો માટે મક્કા.
11.20 AM: અયોધ્યા મામલાની સુનાવણી શરૂ થઇ ગઇ છે. રામલલ્લા બિરાજમાનની તરફથી કે.પરાસરણએ કહ્યુ કે આ મામલાને કોઇપણ રીતે ટળવા દેવો જોઇએ નહી. જો કોઇ વકીલે આ કેસ હાથમાં લીધેલ છે તો તેને પૂર્ણ કરવું જોઇએ.
અયોધ્યામાં રામજન્મભૂમિ વિવાદ
અયોધ્યા જમીન વિવાદ હવે ભારતમાં એક રાજકીય મુદ્દો બની ગયેલ છે. કેટલાક હિંદુ સંગઠનોના દ્વારા 6 ડિસેમ્બર 1992માં અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી હતી.
ભારતીય જનતા પક્ષ અને વિશ્વ હિંદુ પરિષદ સહિત અન્ય કેટલાક હિંદુ સંગઠનોએ દાવો કર્યો છે કે, ભગવાન રામનો જન્મ બરાબર એ જ જગ્યા એ થયો હતો, જ્યાં બાબરી મસ્જિદ હતી.
આ સાથે જ એવો દાવો કરવામાં આવ્યો કે બાબરી મસ્જિદ એક મંદિરને તોડીને બનાવાઈ હતી.
આપને જણાવી દઇએ કે, બાબરી મસ્જિદ તોડી પડાયા બાદ દેશમાં રમખાણો ફાટી નીકળ્યાં અને કોર્ટમાં આ વિવાદિત જમીનના હસ્તાંતરણની માગ ઉઠાવવામાં આવી. વિવાદિત જમીનની માલિકીના હકનો મામલો સુપ્રીમ કોર્ટમાં 1949થી ચાલી રહ્યો છે.