ડીપ બ્રિધિંગ કોરોના દર્દીઓને માટે ઘણું મદદરૂપ બની શકે છે. ફેફસાની કેપેસિટી પહેલાથી સારી છે અને વેન્ટિલેટરની જરૂર પડી રહી નથી અને સાથે ફેફસાને જલ્દીથી રિકવર કરી શકે છે.
કોરોના મહામારીમાં ફેફસાને સ્વસ્થ રાખો
આ રીતે કરો ડીપ બ્રિધિંગ
જાણો શા માટે જરૂરી છે અને મળશે કયા ફાયદા
કોરોના મહામારીના કારણે દેશમાં લોકો પ્રભાવિત થઈ રહ્યા છે. અનેક લોકોના જીવ ખતરામાં છે. અનેક હોસ્પિટલોમાં ઓક્સીજનના અભાવમાં લોકોના જીવ જઈ રહ્યા છે. અનેક રાજ્યોમાં લોકડાઉન છે અને લોકો પોતાના કામ પણ પતાવી રહ્યા છે. અનેક લોકો ઘરેથી કામ કરી રહ્યા છે અને બાળકો ઓનલાઈન ક્લાસ કરી રહ્યા છે. આ સમયે તમે વ્યસ્તતાની સાથે વ્યાયામ અને યોગાને માટે સમય કાઢો તે જરૂરી છે. લંગ્સ નબળા પડવાની શક્યતાઓ વધારે રહે છે. ક્યારેક જાણકારીના અભાવે લોકો ઊંડા શ્વાસ લેતા નથી અને શ્વાસની સમસ્યાઓ થઈ રહી છે. દરેક સમયે ડીપ બ્રિધિંગની પ્રોસેસ કરતા રહેવું જરૂરી છે. જો તમે દિવસમાં 10 મિનિટ ડીપ બ્રિધિંગ કરો છો તો શરીર પર સકારાત્મક અસર પડે છે.
શું છે ડીપ બ્રિધિંગ
જ્યાપે આપણે ખુલ્લી હવા નાકના માધ્યમથી હવાને અંદર લે છે અને પછી ધીરી ધીરે તેને બહાર કાઢો છો તો તેને ડીપ બ્રિધિંગ કહેવાય છે. આમ કરવાથી ફેફસામાં હવા ભરાય છે અને શરીરને વધારે ને વધારે ઓક્સીજન મળે છે.
કેવી રીતે કરશો બ્રિધિંગની કસરત
જો તમે ઊંડી શ્વાસને માટે રોજ કેટલાક મિનિટ માટે પ્રાણાયામ, કપાલભાતિ, અનુલોમ અને વિલોમ જેવા યોગ કરી શકે છે. આ સિવાય લિપ્સ બ્રિધિંગ પણ ફેફસાને માટે જરૂરી છે. આ સિવાય તમે રિલેક્સ થઈને એક ખુરશી પર બેસો, મોઢું બંધ કરીને નાકથી શ્વાસ લો અને 10 મિનિટ સુધી રોકી રાખો. હવે તમારા હોઠને કેન્ડલની જેમ ફૂંક મારતા હોવ તેવી સ્થિતિમાં રાખો. હવાને બહારની તરફ ફેંકો હવાને ધીરે ધીરે બહાર કાઢો. આ પ્રક્રિયા ધીરે ધીરે વધુ સમય સુધી કરો. તેનાથી ફેફસાની કેપેસિટી વધી શકે છે.
ફેફસા માટે શા માટે જરૂરી છે ડિપ બ્રિધિંગ
કોરોના થાય તો ફેફસામાં સોજાની ફરિયાદ રહે છે અને મ્યુક્સ વધવાથી ફેફસાને શરીરમાં ઓક્સીજન સપ્લાય કરવામાં પરેશાની થવા લાગે છે. જેના કારણે ધીરે ધીરે ઓક્સીજન લેવલ ઘટવા લાગે છે. એવામાં તમે જ્યારે ડીપ બ્રિધિંગ કરો છો તો ઓક્સીજન ફેફસાની અંદર પહોંચે છે. અહીં રહેનારા મ્યુક્સ અને અન્ય ફ્લૂઈડને ક્લીઅર કરે છે. આ સિવાય આ કસરતથી કોરોનાની પહેલા કરાય તો લંગ્સમાં મસલ્સને મજબૂત કરવામાં મદદ કરે છે. જે સંક્રમણના સમયે મદદ કરે છે.
ડીપ બ્રિધિંગની કસરત કોરોનાનો ઈલાજ નથી
તમને એ પણ જણાવી દઈએ કે કોરોનાનો આ એકમાત્ર ઈલાજ નથી. કોરોના સંક્રમણથી બચવાનો એકમાત્ર ઉપાય વેક્સીન લેવાનો અને સોશ્યલ ડિસ્ટન્સિંગને મેન્ટેન કરવાનો છે, આ સિવાય માસ્ક પહેરવું એ કોરોના સંક્રમણથી બચાવે છે. જો તમે રોજ ડીપ બ્રિધિંગ કરો છો તો તમારા ફેફસાને મજબૂત બનાવવામાં મદદ મળે છે. આ સાથે તે કોરોના સામે લડવા તૈયાર રહે છે. જે લોકો આ કસરત કરે છે તેમને વેન્ટિલેટરની જરૂર રહેતી નથી અને તેઓ ઝડપથી કોરોનાથી રિકવર થઈ શકે છે. કોરોનાના કારણે એન્ઝાઈટી અને સ્ટ્રેસની સમસ્યા હતી તેની ક્વોલિટી અને લાઈફમાં વધારો જોવા મળી રહ્યો છે.