રાજકોટમાં આરોગ્ય વિભાગે કેમિકલથી પકાવાતા કેળાનું ગોડાઉન ઝડપ્યું, લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા બન્યા બેફામ, રાજકોટના આરોગ્ય વિભાગે કાર્યવાહીના નામે આપી માત્ર નોટીસ
રાજકોટમાં આરોગ્ય વિભાગની કાર્યવાહી
શહેરમાંથી પકડી પાડ્યુ કેળાનું ગોડાઉન
કેમિકલથી પકવતા કેળાનું ગોડાઉન ઝડપાયું
શ્રાવણની શરૂઆત થતા રાજકોટમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ સક્રિય થયા છે. ત્યારે રાજકોટમાંથી એક એવા ગોડાઉન પર દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાં ભરપૂર પ્રમાણમાં કેમિકલ નાખીને ફળોને પકાવવામાં આવી રહ્યા હતા. મોટા પ્રમાણમાં કેળાના જથ્થામાં કેમિકલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હાલ શ્રાવણ મહિનામાં મોટાભાગના લોકો ફળાહાર કરતા હોય છે. આવા સમયમાં થોડા રૂપિયા કમાવવા માટે લોકોના જીવ સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે. આ સાથે મોટી સંખ્યામાં કેમિકલની બોટલ પણ કબજે કરવામાં આવી છે. જો કે, આરોગ્ય વિભાગ લાંબા સમયથી અખાદ્ય સામગ્રીનો નાશ કરી રહ્યું છે. પરંતુ કેળા અને અન્ય ફળના આ ગોડાઉનમાં દરોડા બાદ માત્ર નોટિસ આપવાની કામગીરીથી ક્યાંકને ક્યાંક સવાલ ઉભા થાય છે.
કૃત્રિમ રીતે પકવેલા ફળોથી આરોગ્યને અસર
કેન્સર થવાનું જોખમ
મોઢામાં ચાંદા
આંતરડામાં ચાંદા
ગળામાં દુઃખાવો
ચક્કર આવવા
છાતીમાં દબાણ
બ્લડપ્રેશરમાં વધ-ઘટ
ગભરામણ કે મુંજારો થવો
આંખો નબળી થવી
ચામડીને લગતી તકલીફ
ફળો પકાવવા ક્યો ગેસ-પ્રવાહી વપરાય છે?
કેલ્શિયમ કાર્બાઈડ
ઈથિલિન
કાર્બન મોનોકલાઈડ
પ્યુટ્રીજીયન
પોટેશ્યમ સલ્ફેટ
ઈથિફ્રોન
એસીલીટીન ગેસ
ઓક્સિટોસીન
કેમિકલથી પકાવાતા કેળા કેટલા જોખમી?
કેમિકલથી પકાવેલા કેળા બીમાર પાડી શકે છે
કેમિકલથી પકાવેલા કેળાનું સેવન ગંભીર બીમારી નોતરી શકે
શ્રાવણમાં મોટાભાગે લોકો ફરાળમાં કેળાનો ઉપયોગ કરતા હોય છે
કેળા કુદરતી રીતે પાકેલા હોય તો વાંધો નથી
લોકોની માગ અને તહેવારનો લાભ ઉઠાવવા વેપારીઓ કેમિકલનો ઉપયોગ કરે છે
કેળા પકાવવામાં વપરાતું કેમિકલ ઝેરી હોય છે તે નુકસાનકારક છે
કેમિકલના ઉપયોગથી માત્ર 12 કલાકમાં કેળા પાકી જાય છે