રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના મુખપત્ર 'પાંચજન્ય' એ હરિયાણાના પરિણામોને ભાજપ માટે જનતાની ચેતવણી ગણાવી છે. મુખપત્રની વેબસાઇટ પર 25 ઓક્ટોબરને 'હરિયાણામાં ભાજપને જનતાની ચેતવણી' ટાઇટલથી પ્રકાશિત એક લેખમાં કહેવામાં આવ્યું છે કે 'આવા પરિણામોનો અર્થ એ થાય છે કે જનતા સરકારથી ખુશ તો નથીં, પરંતુ સરકારના વિરુદ્ધ પણ નથી. આવા જનાદેશને એક પ્રકારે જનતાની ચેતવણી કહી શકાય છે.'
RSSએ હરિયાણાના પરિણામોને ભાજપ માટે જનતાની ચેતવણી ગણાવી
આરએસએસએ કહ્યું, જનાદેશને એક પ્રકારે જનતાની ચેતવણી કહી
ભાજપનો અતિ આત્મવિશ્વાસ પણ કમજોર પ્રદર્શન માટે જવાબદાર : આરએસએસ
સંઘના મુખપત્રમાં સવાલ ઉઠાવાયો છે કે 2019ની ચૂંટણીમાં વધેલી વોટ ટકાવારી છેલ્લે વધેલી બેઠકોમાં કેમ ન ફેરવાઇ? લેખમાં ભાજપની કેટલીક કમજોરીઓની તરફ ઇશારો કરતા બહુમતથી દૂર રહેવાના કારણ બતાવાયા છે.
મુખપત્રે લખ્યું કે, ''ખટ્ટર સરકારના સાત મંત્રીઓનું ચુંટણી હારી જવું બતાવે છે કે પહેલીવાર સરકાર ચલાવવામાં તેમનો બિન અનુભવ આડે આવે છે. કોઇ મંત્રીને ભૂતકાળમાં પ્રશાસનિક અનુભવ નહોતો. જે જનતાના મૂડને સમજવાને બદલે આદર્શવાદી કાર્ય કરતા રહ્યા. જે જનતાના ભવિષ્યને મામલે ઠીક હતા. પરંતુ જનતાને તેથી વર્તમાનમાં રાહત મળી રહી નહોતી.
લેખમાં ટિકિટ વિતરણને લઇને ભાજપની ચૂક તરફ ઇશારો કરતા કહેવામાં આવ્યું છે કે જે ભાજપ નેતા ટિકિટ ન મળવા પર બળવો કરી ચૂંટણી મેદાનમાં ઉતર્યા, તેમાંથી પાંચ જીત્યા છે. નોંધનીય છે કે, પાંચજન્યે ભાજપના અતિ આત્મવિશ્વાસને પણ કમજોર પ્રદર્શન માટે જવાબદાર ગણાવ્યું છે.