નરેશ પટેલના મુદ્દે હાર્દિક પટેલે કોંગ્રેસ હાઈકમાન્ડને આડકતરો ઈશોરો કરતાં કહ્યું નિર્ણય લેવામાં વિલંબ થતા નરેશ પટેલની છબીને નુક્સાન થાય છે.
ચૂંટણી લડીશ પણ ક્યાંથી તે હાલ નક્કી નથી : હાર્દિક પટેલ
નરેશ પટેલ મુદ્દે હાઇકમાન્ડ ત્વરિત નિર્ણય લે
વિલંબથી નરેશ પટેલની છબીને નુકસાન છે.
નરેશ પટેલ મુદ્દે હાર્દિક પટેલનું સૂચક નિવેદન
છેલ્લા બે માસથી નરેશ પટેલના રાજકારણ પ્રવેશી રહ્યા છે. તેવી ચર્ચાઓ વચ્ચે આજે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે મહત્વનું નિવેદન આપતાં જણાવ્યુ છે. કે, નરેશ પટેલ મુદ્દે કોંગ્રેસ હાઇકમાન્ડ ત્વરિત નિર્ણય લે, નરેશ પટેલને લેવામાં કેમ આટલો વિલંબ થઈ રહ્યો છે તે એક મોટો સવાલ છે. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, નિર્ણય લેવામાં આટલો વિલંબ થતાં નરેશ પટેલની છબીને નુક્સાન થાય છે.
ચૂંટણી લડવા મામલે હાર્દિક પટેલનું મહત્વનું નિવેદન
આ સાથે આગામી વિધાનસભાની ચૂંટણી લડવા અંગે પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવતા કહ્યું હતું કે, હું ચૂંટણી લડીશ પણ ક્યાંથી લડીશ તે હાલ નક્કી નથી.પણ લોકોના પ્રશ્નો ઉઠાવવા ચૂંટણી લડીશ તેમણે ઉમેર્યુ કે, ચૂંટણી જીતી વિધાનસભામાં લોકો વતી આવાજ ઉઠાવીશ. અન્ય કેસોનું પણ નિરાકરણ લાવવ અપીલ કરીશ. આ સાથે હાર્દિક પટેલનો આડકતરો ઈશારો કર્યો હતો.
નરેશ પટેલની રાજકારણમાં એન્ટ્રીને સ્પષ્ટતા કરી નથી
ઉલ્લેખનીય છે કે, ખોડલધામના ચેરમેન નરેશ પટેલની રાજકારણમાં એન્ટ્રીને લઇને ચર્ચાઓ તેજ બની રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને નરેશ પટેલની રાજકારણમાં એન્ટ્રીની ચર્ચાઓ મહત્વની માનવામાં આવી રહી છે પરંતુ હજી તો આ બધી અટકળો જ છે. નરેશ પટેલે રાજકારણમાં પ્રવેશને લઇને કોઇ સ્પષ્ટતા કરી નથી. આપ, કોંગ્રેસ અને ભાજપ આ ત્રણેય પાર્ટીઓના સંપર્કમાં છે. આ ત્રણેય પાર્ટીઓ સાથે બેઠકો કરી રહ્યા છે પરંતુ કયા પક્ષમાં જોડાશે તેને લઇને હજુ કોઇ વાત સામે આવી નથી ત્યારે હવે ફરી એકવાર નરેશ પટેલ રાજકારણમાં જોડાવાની અટકળોએ વેગ પકડ્યો છે.
20 એપ્રિલ પહેલા કરશે જાહેરાત
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યાં છે,રાજ્યભરમાં ખોડલધામ પ્રમુખ નરેશ પટેલની રાજકીય એન્ટ્રીના નિર્ણય પર ચર્ચા ચાલી રહી છે ત્યારે રાજકારણમાં એન્ટ્રીને લઇને 20 એપ્રિલ પહેલા નરેશ પટેલ જાહેરાત કરશે તેવુ જાણવા મળી રહ્યુ છે. રાજકારણમાં જોડાવું કે નહીં તે અંગે નરેશ પટેલ જાહેરાત કરશે. 15 એપ્રિલે સર્વેના પરિણામ બાદ કરી તેઓ જાહેરાત કરી શકે છે. એટલે કે વિધાનસભાની ચૂંટણી પહેલા કંઇક નવા જૂની થશે તે વાત નક્કી છે. મહત્વનું છે કે નરેશ પટેલ કોંગ્રેસ, ભાજપ અને AAPના નેતાઓ સાથે બેઠકો કરી ચૂક્યા છે.
સુરેશ બથવાર દ્વારા નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવવા આગ્રહ
જો કે, બીજી બાજુ અનુસૂચિત સમાજના આગેવાન સુરેશ બથવાર દ્વારા નરેશ પટેલને રાજકારણમાં આવવા આગ્રહ કરાયો હતો.. સુરેશ બથવારનો નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવવા માટેનો આગ્રહ કરાયો હતોય. નરેશ પટેલે કહ્યું કે, 'નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય જેથી ગુજરાતને નવી દિશા મળે. ખાસ અમારો આગ્રહ છે કે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય.'