ચોકીદાર ચોર છે તેવા કોંગ્રેસના નારા સામે ભાજપે હું પણ ચોકીદાર કેમ્પેઈન ચલાવ્યું છે. ત્યારે હાર્દિક પટેલ કોંગ્રેંસમાં જોડાયો પણ તેણે પોતાની આગવી રીતે મોદી સરકાર વિરુદ્ધ કેમ્પેઈન શરૂ કર્યું. હાર્દિકે ભાજપના હું પણ ચોકીદાર કેમ્પેઈન સામે બેરોજગારનું કેમ્પેઈન શરૂ કર્યું છે. અને આ કેમ્પેઈનમાં 18થી 35 વર્ષના યુવાઓને જોડાવા અપીલ કરી.
કોંગ્રેસ ચોકીદાર ચોર છે તેવા નારા સાથે ભાજપ સામે કેમ્પેઈન ચલાવી રહી છે તેવામાં હાર્દિકે પણ કોંગ્રેસમાં હોવા છતાં પોતાની રીતે અલગથી બેરોજગારના ટેગ સાથે કેમ્પેન શરુ કર્યું. હાર્દિકે કહ્યુ કે મોદી સરકાર બે કરોડ યુવાઓને રોજગારી આપવામાં નિષ્ફળ ગઈ છે. તો એવી પણ શેખી મારી કે સમય બતાવશે કે મારા આવ્યા પછી કોંગ્રેસ કેટલી મજબૂત બની.
નીતિન પટેલ નારાજ છે : હાર્દિક
સીએમ બંગલે બેઠક મુદ્દે હાર્દિકે ભાજપ પર આકરા પ્રહાર કરી આચારસંહિતાના ભંગનો આક્ષેપ લગાવ્યો. હાર્દિકે કહ્યું કે, આચારસંહિતા લાગુ કરાયા બાદ સીએમના બંગલાનો ઉપયોગ થઈ શકે નહી. આ મુદ્દે ફરિયાદ કરવા હું પાર્ટીના વરિષ્ઠ નેતાઓને રજૂઆત કરીશ. જ્યારે બીજી તરફ હાર્દિકે ભાજપમાં નારાજ નેતાઓની વાત પણ કહી. હાર્દિકે આરોપ લગાવ્યો કે, ભાજપમાં નીતિન પટેલ સહિત અનેક નેતાઓ નારાજ છે....