વેલેન્ટાઈન ડે આવે એટલે પ્રેમ અને પ્રેમી યુગલોની વાત આવે ત્યારે શાહજહાએ પ્રેમના પ્રતિક સમો તાજમહલ બનાવીને પોતાનું અને તેની પ્રેમીકા મુમતાઝનું બંનેનું નામ અમર કરી દીધુ ત્યારે ગુજરાતી શાહજહાએ પણ પોતાની પત્નીની યાદમાં મંદિર બનાવીને આવી જ કંઈક ચેષ્ટા કરી છે. વાત છે ગુજરાતના સુરેન્દ્રનગર વઢવાણની. આવો જાણીએ કોણ છે એ ગુજરાતી મુમતાઝ અને શાહજહા.
દુનિયા જ નહીં ઈશ્વરને પણ પ્રેમની ઈર્ષ્યા આવે
4 એકર જમીનમાં શરૂ કર્યો વૃદ્ધાશ્રમ અને બનાવ્યુ મંદિર
મંદિરમાં સેવાનો ભઠ્ઠી અવિરત ચાલુ
સુરેન્દ્રેનગર-વઢવાણ તાલુકાના ખધેલી ગામ પાસે એક પતિએ મૃત પત્નીની યાદમાં તેની પ્રતિમા સાથેનું પ્રેમમંદિર બનાવ્યું છે. અહીં રોજ પૂજા- અર્ચના કરવામાં આવે છે.
શું છે પ્રેમકહાની
ખોડુ ગામના લાલારામભાઈએ તેમની પત્નીનીયાદમાં મંદિર બનાવ્યુ છે. ગામમાં દાતણ વેચી પરિવારનું ગુજરાત ચલાવતા દેવીપૂજક લાલારામ ભોજવિયા કમાણી માટે પત્ની લલિતાબહેન સાથે દિલ્હી પહોંચ્યા. અહીંયાં તેમનું નસીબ જોર કરી ગયું અને એન્ટિક વસ્તુના વેપારમાં કાંઠું કાઢ્યું. અને કૂબ કમાયા.
દુનિયા જ નહીં ઈશ્વરને પણ પ્રેમની ઈર્ષ્યા આવે
દુનિયાને જ નહીં પરંતુ સાચા પ્રેમનો તો જાણે પ્રભુય વેરી હોય છે. ભોજવિયા દંપત્તિના જીવનમાં પણ એવું જ બન્યુ. 51 વર્ષના લલિતાબેન બિમાર પડ્યા અને આખરે તેમણે આ ફાની દુનિયાને વિદાય આપી. બસ આ જક્ષણે લાલારામે નિર્ણય લીધો તે પણ પત્ની માટે કંઈક અલગ જ કરશે.
4 એકર જમીનમાં શરૂ કર્યો વૃદ્ધાશ્રમ અને બનાવ્યુ મંદિર
પત્નીના કાયમી સંભારણા માટે કાંઈક કરવાની લાલારામભાઈને ઇચ્છા થઈ અને દુધરેજના નગરાગામ વચ્ચે 4 એકર જમીન ખરીદી હતી. જેની પર 15 વર્ષ પૂર્વે રૂ. 2 કરોડના ખર્ચે વૃદ્ધાશ્રમ બનાવી તેમાં પત્નીની યાદમાં મંદિર બનાવ્યું અને તેમાં લલિતાબહેનની મૂર્તિ સ્વરૂપ પ્રતિમાની સ્થાપના કરી.
મંદિરમાં સેવાનો ભઠ્ઠી અવિરત ચાલુ
આ મૂર્તિની પૂજા-અર્ચના કરીને લાલારામભાઈએ જાણે સાચા અર્થમાં વેલેન્ટાઇન્સ ડેની ઉજવણી સાર્થક કરી રહ્યા છે. હાલ વૃદ્ધાશ્રમમાં અનેક વૃદ્ધોને રહેવા અને ભોજન સહિતની સુવિધા મળે છે પરંતુ હું ન હોઉં તોપણ આ વૃદ્ધાશ્રમ નિ:શુલ્ક અને વધુ લોકોને ઉપયોગી થાય તેવી ઇચ્છા છે. હાલ 65 વર્ષ હોવા છતાં લાલરામભાઈ આ માટે પરિશ્રમ કરી રહ્યા છે.