બ્રિટનની અદાલતે વિજ્ય માલ્યાના પ્રત્યાર્પણ માટે મંજૂરી આપતાં વિવાદોમાં ફસાયેલા સી.બી.આઈ.ના ખાસ અધિકારી રાકેશ અસ્થાના માટે આ ખુશીના સમાચાર છે.
આ અદાલતે સોમવારે ચુકાદો સંભળાવતા કહ્યુ કે વિજ્ય માલ્યાના વકીલે રાકેશ અસ્થાના પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો જેના કોઈ પુરાવા મળેલ નથી.
2016માં વિજ્ય માલ્યા ભારત છોડીને બ્રિટન જતો રહ્યો હતો. રાકેશ અસ્થાનાએ સી.બી.આઈ.ની વિશેષ ટીમનું નેતૃત્વ સંભાળ્યું અને માલ્યાને પાછા લાવવા માટે પૂરા પ્રયત્નો કર્યા હતા.