ભુત-પ્રેત વિશે તમે બધાએ સાંભળ્યું હશે. જ્યોતિષો મુજબ ભૂત એક ભટકતી આત્મા હોય છે. કોઇ વ્યક્તિની અધુરી ઇચ્છાએ તેનું મૃત્યુ થાય તો તે ભૂત થઇ જાય તેવું માનવામાં આવે છે.
આપણા જ્યોતિષો કહે છે કે જ્યારે તમને ભૂતનો ડર લાગે ત્યારે તમારે ભગવાન હનુમાનજીનુ સ્મરણ કરવું જોઇએ હનુમાન ચાલીસા બોલવી જોઇએ. ભગવાન હનુમાનજીના અનેક મંદિર તમે જોયા હશે. પરંતુ આજે જે મંદિર વિશે તમને જાણકારી મળશે તેના ચમત્કાર વિશે ભાગ્યે જ તમે જાણ્યું હશે.
કાનપુર શહેરથી 50 કિલોમીટર દૂર મૂસાનગર વિસ્તારમાં યમુના નદીના કિનારે હજારો વર્ષ જૂનું બાલાજી મંદિર છે. આ મંદિર વિશે માન્યતા છે કે અહીં મંગળવાર અને શનિવારના રોજ કોઈપણ વ્યક્તિ જે ભૂત-પ્રેતની બાધાથી પીડિત હોય તે આવે તો તે માત્ર 15 મિનિટમાં ઠીક થઈ જાય છે.
'બુઢવા મંગલ' દરમિયાન અહીં કાનપુર ઉપરાંત અન્ય જગ્યાઓએથી પણ લોકો આવે છે. મોટી સંખ્યામાં ભક્તો હનુમાનજીના ચરણોમાં નકમસ્તક થાય છે. મૂસાનગર વિસ્તારમાં ભગવાન બાલાજીનું વર્ષો જૂનું મંદિર આવેલું છે. યમુના કિનારે અંદાજે 15 વીઘા જમીનમાં આ મંદિર બનેલું છે.
અહીં દેશભરમાંથી લોકો દર્શનાર્થે આવે છે. મોટાભાગના લોકો પોતાના સ્વજનોને ભૂત-પ્રેતની બાધામાંથી મુક્ત કરાવવા લઈ આવે છે. આ મંદિર આ કાર્ય માટે પ્રસિદ્ધ છે. મંદિરના પુજારીના જણાવ્યાનુસાર અહીં મહારાજ બાલાજી નાનકડી ઝુંપડીમાં વસતાં પરંતુ તેના સ્થાને અહીં ભવ્ય મંદિરનું નિર્માણ 1996માં કરાવવામાં આવ્યું. મંદિરના પૂજારીના જણાવ્યાનુસાર 2001માં મંદિર પરિસરમાં જમણી તરફ પ્રેતરાજ મહારાજ અને ડાબી તરફ બટુક ભૈરવની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી અને વચ્ચે બાલાજી મહારાજની પ્રતિમા રાખવામાં આવી.
બાલાજી ભગવાનના આદેશથી જ પ્રેતરાજ અને ભૈરવ બાબા રોગથી ગ્રસિત અને પ્રેતથી પીડાતા લોકોને મુક્તિ અપાવે છે. બાલાજી મંદિરમાં આવેલા લોકો દુ:ખી મન સાથે આવે તો છે પરંતુ તે જાય છે દુ:ખ અને તકલીફથી મુક્ત થઈને. અહીં એવા અનેક લોકો આવે છે જે અસાધ્ય રોગોથી પીડિત હોય વર્ષોથી દવા કરી અને કંટાળેલા લોકો ભગવાનના શરણે આવે છે અને તેમના રોગ દૂર થઈ જાય છે.