Hanuman Chalisa new rersion: ક્યારેય હનુમાન ચાલીસાનું રોક મ્યુઝિક વર્ઝન સાંભળ્યું છે? જો નહીં તો રામનવમીના પાવન પર્વે સાંભળો અને ડૂબી જાવ હનુમાનજીની ભક્તિમાં...
હનુમાનજીની ભક્તિ કરનારા શ્રદ્ધાળુ હંમેશા સુરક્ષિત અને સુખી રહે છે
હનુમાનજી અજર અમર છે, કળયુગમાં ભક્તોની રક્ષા કરવા માટે સાક્ષાત હાજર રહે છે.
હનુમાન ચાલીસાનો જે સ્વરુપ બન્યુ છે તે ખૂબ જ એનર્જેટિક છે
Hanuman Chalisa new rersion:હનુમાન ચાલીસાની પ્રત્યેક પંક્તિ રામબાણ છે. યુટ્યુબ (Hanuman Chalisa on You tube) પર સૌથી વધારે સાંભળવામાં આવતી સ્તુતિ બની ગઇ છે. કહેવામાં આવે છે કે હનુમાનજીની ભક્તિ કરનારા શ્રદ્ધાળુ હંમેશા સુરક્ષિત અને સુખી રહે છે. તમે પણ હનુમાન ચાલીસાનો પાઠ કરો જેથી જીવનમાં શોર અને શાંતિનું સંતુલન બને શકે. રામનવમી પર આજે સૌથી મોટો સંદેશ છે.
હનુમાનજી અજર અમર છે, કળયુગમાં ભક્તોની રક્ષા કરવા માટે સાક્ષાત હાજર રહે છે. હનુમાન ચાલીસામાં લખ્યું છે કે, 'नासै रोग हरै सब पीरा। जपत निरंतर हनुमत बीरा।। ચાલીસામાં એપણ લખ્યું છે કે, संकट तें हनुमान छुड़ावै। मन क्रम बचन ध्यान जो लावै।। તેનો અર્થ છે કે હનુમાનજીની કૃપા હોય તો કોઇ તમારો વાળ પણ વાંકો ના કરી શકે. આ જ કારણ છે થોડુ પણ સંકટ જણાય તો લોકો તરત જ હનુમાન ચાલીસાના પાઠ કરવા લાગે છે.
ગ્લોબલ થઇ હનુમાન ચાલીસા
અનેક ગાયકોએ પોતાના અવાજમાં હનુમાન ચાલીસા ગાઇ છે. હવે કારણ કે મુશ્કેલી સર્જનાર બજરંગબલી હનુમાનજીનો ભક્ત
માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં હાજર છે. આવી સ્થિતિમાં નવરાત્રીના શુભ અવસર પર અનેક ખંડોના કલાકારોએ ભેગા મળીને 'શ્રી હનુમાન ચાલીસા'ને હાર્ડ રોક વર્ઝનમાં રજૂ કરી રહ્યાં છીએ, જે અદ્ભુત અને પોતાનામાં ખૂબ જ અનોખુ છે.
'आपन तेज संभारो आपैं'
હનુમાન ચાલીસાનો જે સ્વરુપ બન્યુ છે તે ખૂબ જ એનર્જેટિક છે. આ નેધરલેન્જના ગજવ તથા પોપ સિંગર, ગિરમિટિયા મજૂરોના વંશજ રાજમોહને પોતાની જોશીલા અવાજમાં ગાયુ છે. 'દાયરા મ્યુઝિક' નામથી યુરોપિયન બેંડના ચેનલ પર આ ગીતને રિલીઝ કરવામાં આવ્યુ છે. આને સાંભળ્યા બાદ તમારી અંદર જોશ આવી જશે. હનુમાન ચાલીસા આ હાર્ડ રોક વર્ઝનને સાંભળ્યા બાદ સોશિયલ મીડિયા પર લોકો જબરદસ્ત રિસ્પોન્સ આપી રહ્યા છે.
હનુમાન ચાલીસાનો અદ્દભુત પાઠ
હનુમાન ચાલીસાના આ વર્ઝનને રામનવમી અને હનુમાન જયંતીએ રિલીઝ કરવામાં આવ્યુ છે. જેને બિહારના આરા નિવાસી ફિલ્મકાર દેવેન્દ્ર સિંહે પોતાની ટીમની સાથે તૈયાર કર્યુ છે. આ હનુમાન ચાલીસાનું મ્યુઝિક યુરોપમાં કમ્પોઝ થયુ હતું. જ્યારે શુટિંગ ભારત, નેધરલેન્ડ અને સૂરીનામ ખાતે કરવામાં આવ્યું. દાયરા મ્યુઝિકે મુય રેપ ગાયક માનવ ડીનું કહેવુ છે કે, ગિરમિટિયા મજૂરાને વિદેશ લઇ જવામાં આવ્યા પરંતુ તે પોતાની સંસ્કૃતિ ના ભૂલ્યા અને ના પોતાનો દેશપ્રેમ. ત્યાં આ પહેલી વાર એુ બન્યુ છે તે હનુમાન ચાલીસા એટલા મોટા સ્તર પર આ અવતારમાં રજૂ કરવામાં આવી છે.
કોણ છે રાજમોહન?
ભારતથી નેધરલેન્ડ ગયેલા પોતાના પૂર્વજોની ત્રીજી પેઢીના વંશજ રાજમોહને જણાવ્યું કે, તેનુ મન હંમેશાથી ભારતમાં જ રહે છે. તેના પૂર્વજ વર્ષોથી અહીં મજૂરી કરવા માટે 5 વર્ષના કોન્ટ્રાક્ટ પર સુરીનામ ગયા હતા, પરંતુ ત્યાં કરાર પૂર્ણ થતા જ્યારે સરકારે તેમને વસવાટ કરવા માટે ખેતીની જમીન આપવાનું શરૂ કર્યું, ત્યારે પૂર્વજોએ ત્યાં વસવાટ કરવાનું વધુ હિતાવહ માન્યું. નેધરલેન્ડના ગજલ તથા પોપ સિંગર ગિરમિટિયા મજૂપોના વંશજ રાજમોહન ગયા મહિને ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમા ભાગ લેવા લખનઉ આવ્યા હતો, અહીં મીડિયા સાથેની વાતચીતમાં તેણે હનુમાન ચાલીસાના નવા મ્યુઝિક સાથે ઓનલાઇન પ્લેટફોર્મ પર સ્ટ્રીમ કરવાની જાણકારી આપી હતી. ઉલ્લેખનીય છે કે રાજમોહન ભોજપુરી ભાષામાં પણ ગાઇ છે.