ક્રિકેટના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે પોતાના કરિયરના 'ટર્નિગ પૉઇન્ટ' વિશે વાત કરતા કહ્યુ કે, 1994માં ન્યૂઝીલેન્ડ વિરુદ્ઘ વનડેમાં ટીમ ઇન્ડિયા માટે ઇનિંગની શરૂઆત કરવા માટે 'વિનંતી' કરવી પડી હતી. સચિન તેંડુલકરને મિડલ ઓર્ડર બેટિંગથી હટાવીને ઇનિંગની શરૂઆત કરવાનું પગલું 'માસ્ટરસ્ટ્રોક' સાબિત થયુ, જેનાથી 50 ઑવર્સની ફોર્મેટમાં વર્લ્ડ રેકોર્ડ 49 સેન્ચુરી કરી શકે.
ક્રિકેટના ભગવાન સચિનનો ખુલાસો
'ઇનિંગમાં ઑપનિંગ કરવા માટે કરી હતી વિનંતી'
સચિન તેંડુલકર અને વિરેન્દ્ર સહવાગ ટીમ ઇન્ડિયાની સૌથી સારી ઑપનિંગ જોડી
લિંકડિન પર એક વીડિયો શૅર કરતા સચિન તેંડુલકરે કહ્યુ કે, ''ઓકલેન્ડમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ઘ વનડે દરમિયાનની કેટલીક ક્ષણોને યાદ કરી. માસ્ટર બ્લાસ્ટરે કહ્યુ કે, 1994માં જ્યારે મેં ભારત માટે બેટિંગ કરવાની શરૂઆત કરી, તો તમામ ટીમોની રણનીતિ વિકેટ બચાવી રાખવીની હતી, પરંતુ મેં થોડું અલગ કરવાનો પ્રયત્ન કર્યો.''
ક્રિકેટના ભગવાને કહ્યુ કે, ''મેં વિચાર્યુ કે હું આગળ વધીને બૉલર્સનો સામનો કરીશ, પરંતુ મારે વિનંતી કરવી પડી કે કૃપા કરીને મને તક આપે. જો હું નિષ્ફળ રહીશ તો હું ક્યારેય તમારી પાસે નહી આવું.'' પોતાના આ પગલાને ઉદાહરણ તરીકે રજૂ કરતા પૂર્વ બેટ્સમેને પોતાના પ્રશંસકોને આગ્રહ કર્યો કે, ''નિષ્ફળતાના ડરથી જોખમ લેવાથી ના ડરો.''
સચિન તેંડુલકરે આગળ કહ્યુ કે, ''ન્યૂઝીલેન્ડની વિરુદ્ઘ ઓકલેન્ડમાં પહેલી મેચમાં મેં 49 બૉલમાં 82 રન કર્યા, આ માટે મારે ફરી પૂછવું નહતુ પડ્યુ કે, મને બીજી તક મળશે કે નહી. તેઓ ઇચ્છતા હતા કે હું ઇનિંગની ઑપનિંગ કરું, પરંતુ હું એ જ કહીશ કે નિષ્ફળતાથી ડરો નહી.'' સચિને મિડલ ઓર્ડર પછી ઇનિંગ શરૂઆત કરવા પર સપ્ટેમ્બર 1994માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ઘ કોલંબોમાં પોતાની પહેલી વનડે સેન્ચુરી કરી હતી.