આજકાલની દરેક વ્યક્તિઓને જાણે કે મોબાઈલનું વ્યસન થઈ ગયું છે. કોઈપણ સમયે તેમનો ફોન તેમની સાથે જ હોય છે. તેઓ આ ફોનથી એટલા કનેક્ટ રહે છે કે જો થોડી વાર સુધી તેમના ફોનમાંથી કોઈ સાઉન્ડ ન આવે તો તેમને બેચેની થવા લાગે છે કે ફોન ચાલુ તો છે ને. જ્યારે કેટલાકને સવારમાં જ ફોન સ્ક્રોલ કરવાની આદત હોય છે. જેના કેટલાક ગંભીર પરિણામો આવનારા સમયમાં તેમને ભોગવવા પડે છે.
સવારે ઉઠતાં જ કરાતો મોબાઈલનો ઉપયોગ ખતરનાક
લાંબાગાળે કરી શકે છે તમને બિમાર
વ્યક્તિને એન્ઝાઈટી, ડિપ્રેશન અને બીપીનો શિકાર બનાવે છે
હાલમાં જ લગભગ 2000 લોકો પર સર્વે કરવામાં આવ્યો. તેમાં જોવા મળ્યું છે કે જે લોકો સવારે ઉઠીને જ ફોન સ્ક્રોલ કરવાની આદત ધરાવે છે તેમના દિવસની શરૂઆત સ્ટ્રેસથી થાય છે. તેના કારણે તેમને પોતાના કામમાં અનેક તકલીફો આવે છે.
સવારે ઊઠતાં જ ફોનમાં નોટિફિકેશન જોવા મળે છે. તેનાથી તમારું મગજ એ જ બાબતે વિચાર કરવા લાગે છે. મગજમાં ફક્ત તેના જ વિચાર ચાલે છે અને અન્ય કોઈ કામ કરવામાં મન લાગતું નથી. જેના કારણે તમારી કાર્યક્ષમતા પર અસર પડે છે.
સવારે ઉઠતાં જ તમે કોઈ એવી બાબતે વિચારવા લાગો છો જેની અસરથી તમે ચિંતા અને એન્ઝાઈટીનો શિકાર બનો છો. સવારના સમયે તમારું બ્લડ પ્રેશર વધી જાય છે. વધારે ચિંતા તમને અનેક ગંભીર બિમારીઓ તરફ લઈ જાય છે.
સવારે ઉઠતાં જ જ્યારે તમે મેલ કે નોટિફિકેશન ચેક કરો છો તો તમે વીતેલી વાતો અંગે વિચારવા લાગો છો. જેનાથી વર્તમાનને બદલે ભૂતકાળમાં રહેવા લાગો છો. આ કારણે તમારું મન સારી રીતે કામ કરી શકતું નછી. એટલે કે તમે જાતે જ તમારા દિવસની શરૂઆત બગાડો છો.
એક્સપર્ટના અનુસાર ક્યારેય સવારે ઉઠતા જ ફોનનો ઉપયોગ કરવો જોઈએ નહીં. સવારે ઉઠ્યા બાદ મેડિટેશન અને યોગા કરો તેનાથી મનને શાંતિ મળે છે. તમે તમારા કામ પણ સારી રીતે કરી શકો છો અને હેલ્થ સારી રહે છે.
જો શક્ય હોય તો એક આદત એવી કેળવો કે દિવસમાં અડધો કલાક તમે ફોનને અડો જ નહીં. આ ત્યારે જ શક્ય બનશે જ્યારે તમે તેને સ્વીચ ઓફ કરીને રાખો. તેનાથી તમે થોડી વાર તમારા મનને આરામ આપી શકશો અને તમારી ચિંતામાં પણ ઘટાડો થશે. તમે પરિવારને સમય આપી શકશો કે કંઈ સારું વિચારી શકશો.