કુંભ રાશિના જાતકોએ બૃહસ્પતિના અસ્ત થવા પર તમારે વાદ-વિવાદ અને બિનજરુરી ખર્ચ કરવાથી બચવુ
સમૃદ્ધિ, ધન અને જ્ઞાનના કારક દેવગુરુ બૃહસ્પતિ આજે એટલે કે 28 માર્ચના રોજ સવારે 9.20 વાગે મીન રાશિમાં અસ્ત થઇ ગયા છે અને 27 એપ્રિલ 2023 સુધી આ રાશિમાં રહેશે. ગુરુનુ મીન રાશિમાં અસ્ત થતા 12 રાશિઓને તેની અસર થશે. પરંતુ અમુક રાશિઓના જાતકોને લાભ થશે તો અમુક રાશિના જાતકોને નુકશાનનો સામનો કરવો પડશે. જાણો ગુરુ અસ્ત થવા પર કઇ રાશિઓ પર થશે નકારાત્મક અસરઃ
મેષ રાશિઃ મેષ રાશિના જાતકોને લઇ બૃહસ્પતિ પોતાના ભાગ્ય અને વ્યયનો સ્વામી છે અને આ ઘરના ખર્ચોમાં અસ્ત થશે. બૃહસ્પતિના 12માં ભાવમાં ગોચર શુભ માનવામાં આવતુ નથી, અને આ ભાવમાં બૃહસ્પતિ અસ્ત થશે. બૃહસ્પતિના મીન રાશિમાં ગોચર કરવાથી મેષ રાશિવાળાને થોડી પરેશાની થશે. દુર્ભાગ્યથી જે કામ સુરક્ષિત રુપથી પૂર્ણ કરશો તે જ કામ આગળ વધી શકશે. તમારા પિતાનું સ્વાસ્થ્ય બગડી શકે છે પરંતુ ખર્ચ ઓછો થશે.
કન્યા રાશિઃ તમારી કુંડળીના ચોથા અને સાતમાં ભાવના સ્વામી બૃહસ્પતિ હવે સાતમાં ભાવમાં જ અસ્ત થશે. તેવામાં તમારે રોજબરોજના કામોમાં ગંભીરતા રાખવી જોઇએ. ગુરુનુ મીન રાશિમાં ગોચર કરવાના સમયે તમારા જીવનસાખીનું સ્વાસ્થ્ય બગડી શકે છે. ઘરને લઇ ચિંતા વધી શકે છે. જો કે, આ વાતની સંભાવના છે કે અતીતમાં જે અડચણ હતી તે દૂર થઇ જશે.
વૃશ્ચિક રાશિઃ વૃશ્ચિક રાશિના જાતકો માટે બૃહસ્પતિ તમારી કુંડળીમાં ધન અને પાંચમાં ભાવનો સ્વામી છે અને આ સમયે પાંચમાં ભાવમાં અસ્ત થશે. જ્યારે બૃહસ્પતિ મીન રાશિમાં છે. છાત્રોને અસંતોષજનક પરિણામ પ્રાપ્ત થઇ શકે છે. આ સમયે તમને પાચન સંબંધિત સમસ્યા થઇ શકે છે. તેથી ચકાસી લેવુ મહત્વનું છે કે પરિવારના સભ્યો સાથે સંબંધોમાં કોઇ સમસ્યા ના થાય. આ સમયમાં તમારે બિનજરુરી પરિયોજનાઓ પર મહેનત કરવાથી બચો, કારણ કે તે નિષ્ફળ થશે.
મકર રાશિઃ મકર રાશિના જાતકો માટે બૃહસ્પતિ તમારી કુંડળીના 12માં ભાવની સાથે ત્રીજા ભાવનું સ્વામી છે અને આ સમય ત્રીજા ભાવમાં અસ્ત થાય છે. પરિણામે ભાઇઓ, મિત્રો અને પાડોશી સાથે અનબન થવાની સંભાવના છે. તેવામાં તમારે ધ્યાન રાખવુ કે તમારે કોઇની સાથે મતભેદની સ્થિતિ ઉભી ના થાય. મીન રાશિમાં ગુરુ અસ્ત થવા દરમિયાન ખર્ચ ઓછો થશે પરંતુ આત્મવિશ્વાસની અછત રહેશે.
કુંભ રાશિઃ બૃહસ્પતિ કુંભ રાશિના જાતકો માટે લાભનો સ્વામી થવાની સાથે તમારા ધન ભાવનો સ્વામી છે, જે તે ભાવમાં અસ્ત થવા જઇ રહ્યો છે. જેના પરિણામે તમારે આર્થિક સ્થિતિ ખરાબ થઇ શકે છે અને પરિવારના સભ્યોની સાથે તમારો સંબંધ તણાવભર્યો રહેશે. મીન રાશિમાં બૃહસ્પતિના અસ્ત થવા પર તમારે વાદ-વિવાદ અને બિનજરુરી ખર્ચ કરવાથી બચવુ જોઇએ.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.