વડતાલ સ્વામીનારાયણ મંદિરના સુવ્રત સ્વામીએ પોતાની સેવામાં રહેતા સુરતન કિશોર ઉપર તેની મરજી વિરૂધ્ધ વારંવાર સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય આચર્યુ હતુ આ મામલે કિશોરના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સુવ્રત સ્વામી ત્યારથી ભૂર્ગભમાં ઉતરી ગયા હતા. હવે તેમણે નડિયાદ કોર્ટમાં આ અંગે આગોતરા જામીન માંગ્યા છે. 23મી તારીખે આ અંગે કોર્ટમાં સુનાવણી કરવામાં આવશે
10 દિવસથી સ્વામી ભૂગર્ભમાં ઉતરી ગયા છે
સુવ્રત સ્વામી, દેવ પ્રકાશ સ્વામી અને વલ્લભ સ્વામી ઉપર આરોપ છે
વડતાલ સ્વામીનાયારણ મંદિરમાં આવેલી લક્ષ્મીનારાયણ સંસ્કૃત પાઠશાળામાં ભણતો હતો કિશોર
સુવ્રત સ્વામીએ નડિયાદ કોર્ટમાં આગોતરા જામીન માગ્યા છે. કોર્ટ આગામી 23 તારીખે આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવશે. જો કે, છેલ્લા 10 દિવસથી સ્વામી છે ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
શું છે મામલો
ખેડાના વડતાલ સ્વામીનારાયણ મંદિરના 3 સ્વામી સામે સૃષ્ટી વિરુદ્ધના કૃત્યનો ગુનો નોંધાયો છે. સુવ્રત સ્વામી, દેવ પ્રકાશ સ્વામી અને વલ્લભ સ્વામી ઉપર આરોપ છે કે તેમણે એક પાર્ષદ સાથે ન કરવાનું કામ કર્યુ છે. એટલું જ નહીં પરંતુ ધમકી પણ આપી છે કે અગર પાર્ષદે આ વાત કોઈને કહી તો તે જીવથી જશે. પરંતુ આ વાત પાર્ષદના વાલી સુધી પહોંચી જતા મામલો બિચક્યો હતો.
કોણ છે સગીર
આ કિશોર સુરતના આ સગીરે એપ્રિલ 2019માં 11માં ધોરણમાં વડતાલ સ્વામીનાયારણ મંદિરમાં આવેલી લક્ષ્મીનારાયણ સંસ્કૃત પાઠશાળામાં પ્રવેશ લીધો હતો. ત્યારે તેને સુવ્રત સ્વામી ગુરુ સંભવ સ્વામી સાથે પાર્ષદ તરીકે રહેતો હતો.
કેવી રીતે થઈ પિતાને જાણ
14મી ઓગષ્ટના રોજ કિશોરના પિતાને ચાઈલ્ડ વેલ ફેરમાંથી ફોન આવ્યો હતો કે તમારા દીકરા સાથે સૃષ્ટીવિરુધ્ધનું કામ થયું છે. અને મારો દીકરો ધ્રુસકેન ધ્રુસકે રડી પડ્યો હતો. સ્વામીની સેવા એ મોક્ષનો માર્ગ છે પણ આવી સેવા? પ્રભુ ભક્તિને નામે આવા જઘન્ય કૃત્યો કરનારને તો જેટલી સજા થાય તેટલી ઓછી છે. આવા અધમીઓને કારણે જ સાધુ સમાજ ઉપર લાંછન લાગે છે.
શું કહ્યું હતુ કિશોરે
સુવ્રત સ્વામી ગુરુ સંભવ સ્વામી સાથે છેલ્લા ચાર મહિનાથી પાર્ષદ બનીને રહેતો હતો. હું સ્વામીનું તમામ કામ કરતો હતો. કચરા પોતા, વાસણ, તેમના ચરણ દબાવવા. મને તેમની રૂમમાં સુવા માટે મજબૂર કરતા એટલું જ નહીં પરંતુ મારે તેમના તમામ કામ કરવાના રહેતા અને રાતે તેઓ નગ્ન થઈ સુઈ જતા. અને તેમની મરજી પડે એટલે મારી સાથે એ ગંદુ કામ કરતા. મેં આ વિશે જ્યારે સુવ્રત વડતાલ મંદિરના ચેરમેન દેવ સ્વામી ગુરુ નિલકંઠ ચરણ સ્વામી અને કોઠારી સંત વલ્લભ સ્વામીને વાત કરી તો તેમણે મને મોં બંધ રાખી સ્વામી જે કહે છે તે કરવાનું કહી દીધુ હતુ.
સ્વામી કહેતા મહિલાઓના નંબર લઈ આવ
સ્વામી મને મંદિરમાં આવતી સાંખ્ય બહેનો પાસેથી તેમના ફોન નંબર લઈ આવવાનું કહેતા અને તેમને મેસેજ પહોંચાડવાનું કહેતા કે, તેમને કહેજો કે ક્યારેક સ્વામી તમને સેવાનો લાભ આપશે. એટલુ જ નહીં મંદિરના અન્ય સ્વામી પણ મને આ રીતે સુંદર છોકરીઓના નંબર લાવી આપવાનું કહેતા હતા. મને જ નહીં સાવલી મંદિરમાં ભોજનબનાવનારને પણ સ્વામી રૂપાળી મહિલાોના મોબાઈલ નંબર લઈ આવવાનો ટાસ્ક સોંપતા હતા.