સુરત અને જામનગરમાં મહિલાઓ સ્મશાનમાં સેવાનો ભેખ લગાવીને બેઠી છે. સુરતમાં અગ્નિદાહ આપવાનું તો જામનગરના પ્રખ્યાત સ્મશાનમાં ક્લેકરીકલથી લઈ સાફ સફાઈ સુધીના કામ મહિલા કરે છે.
હું સ્વસ્થ્ય રહું ત્યાં સુધી આ કાર્ય કરતી રહીશ
સ્મશાનમાં સેવાની ધૂણીનો ભેખ લગાવીને બેઠાં છે રતનબેન
હરિપુરાના રતનબહેન સ્મશાનમાં કરે છે સેવાકાર્ય
જામનગર સ્મશાનમાં પણ 3 મહિલાો કરે છે કામ
સ્ત્રી સર્જનહાર છે નવા જીવનને જન્મ આપે છે પણ સમાજ સ્ત્રીને હંમેશાથી નાજુક અને નમણી ગણવામાં આવે છે તેમને સ્મશાનથી દૂર જ રાખવામાં આવે છે અને સ્માશાનમાં પ્રવેશ માટે પણ તેમને મનાઈ કરવામાં આવે છે ત્યારે સુરતના એક નાનકડા ગામમાં એક મહિલા સ્મશાનમાં સેવાની ધૂણીનો ભેખ લગાવીને બેઠાં છે.
કેવી રીતે શરૂ કર્યુ આ કામ?
બારડોલી તાલુકાના કડોદ ગામે આવેલ સ્મશાનમાં છેલ્લા 45 કરતાં વધુ વર્ષોથી ભગુભાઈ સોલંકી અગ્નીદાહ આપવાનું કાર્ય કરી રહ્યાં હતાં પણ છેલ્લા કેટલાક વર્ષોથી તેમનું સ્વાસ્થ્ય સારૂ નથી એટલે તેમની જગ્યાએ બીજો માણસ રાખવામાં આવ્યો પણ કહે છે ને કે, આ કંઈ જેવા તેવાનું કામ નથી. કાળજુ કઠણ, સેવાનો ભેખને ઉપરવાળામાં અતૂટ શ્રદ્ધા હોય તો કોઈ દેને પંચમહાભૂતમાં વિલિન થવામાં મદદરૂપ થઈ શકાય. આવુ જ કંઈક આ કિસ્સામાં પણ થયું પણ છેવટે ભગુભાઈના પત્ની રતનબેને આ બીડુ ઝડપ્યું. અને હવે રતનબેન કડોદના સ્મશાનમાં અગ્નીદાહ અપાવવાનું કામ કરે છે.
હરિપુરાના રતનબહેન સ્મશાનમાં કરે છે સેવાકાર્ય
વ્રજસુ કાળજુ કરીને અંતિમ વિદાયે આવતા મનુષ્યદેહને આ માનુની પોતાની મંજીલ સુધી પહોંચાડે છે. લાગણીઓ તો તેનામાં પણ છે પણ સાથે સાથે લોંખંડી વિચારો પણ છે. હરિપુરાના રતનબહેનને આ કામ કરતા કરતા વર્ષો વિતિ ગયા. આસપાસના ગામના લોકો પણ આ મહિલાને જોઈને મનોમન વંદન કરે છે. રતનબેન હાલ 70 વર્ષે પણ યુવાનોને શરમાવે તેવી સ્ફ્રૂર્તીથી કામ કરે છે.
શું કહે છે રતનબેન?
રતનબહેને કહે છે કે, મને આ કામ કરવાની ઘણાએ ના પાડી. પણ મારે મન આ તો પુણ્યનું કામ છે એટલે કરવું જ જોઈએ તેવો દ્રઢ નિર્ધાર હતો. આ સેવાકાર્ય કરવાથી મને ઉર્જા પ્રાપ્ત થાય છે. હું સ્વસ્થ્ય રહું ત્યાં સુધી આ કાર્ય કરતી રહીશ. સ્ત્રી માત્ર જીંદગીને જન્મ જ નથી આપતી પણ સ્ત્રી તેને માન સન્માન પુર્વક વિદાય આપવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. આજે આ મહિલા માટે તેમના ગામના સરપંચથી લઈને નાના મોટો સૌ કોઈ ગૌરવ લે છે.
જામનગર સ્મશાનમાં પણ 3 મહિલાો કરે છે કામ
જામનગર સ્મશાનમાં પણ વર્ષોથી 3 મહિલાઓ કામ કરે છે. જેમાં જામનગર સ્મશાનમાં ઘણા સમયથી કામ કરતી વૈશાલીબેન સ્મશાનની તમામ કાગળોની વિધિમાં જોતરાઈ રહેલી છે તે તમામ પ્રકારના ડોક્યુમેન્ટ તથા કાગળો બનાવે છે જ્યારે સ્મશાનમાં છેલ્લા 15 વર્ષથી કામ કરતી રાનીબેન વડેર ઈલેક્ટ્રીક સ્મશાનની ફર્નેશ તથા અંદરનો એરિયો સાફ-સફાઈ કરવાની જવાબદારી સંભાળી રહી છે.