બેદરકારી / 3000 કરોડનું સરદારનું સ્ટેચ્યુ બનાવ્યું પણ તેમના અમદાવાદના ઘરની આવી હાલત!

Gujarat Sardar Patel s home in Ahmedabad is now a parking lot

સરદાર પટેલની 31મી ઓક્ટોબરે જન્મજયંતી છે જે પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા આવશે અને સ્ટેચ્યુઓફ યુનિટી એટલે સરદારની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપશે ત્યારે ભદ્રમાં જ જ્યાં સરદાર રહેતા હતા. જ્યાં ગાંધીજી સાથે તેમણે આઝાદીની લડતમાં ઝુકાવ્યુ તે જગ્યાના હાલ બેહાલ છે, પાર્કિંગ લોટ તરીકે હાલ એ જગ્યા વપરાય છે. અબજો રૂપિયા ખર્ચીને સરદારને સન્માનિત કરવાની સુફિયાણી વાતો ભદ્રના સરદાર સ્મારકને જોઈને ઉઘાડી પડી જાય છે. ખરેખર તંત્રને ઈતિહાસ સાથે લેવા દેવા છે કે, ખાલી ખાલી પ્રજાના પૈસે ગગનચુંબી પ્રતિમાઓ બનાવવામાં જ રમમાણ છે 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ