ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે પાંચ ઉમેદવારો મેદાને છે જેમાંથી કોંગ્રેસના બે અને ભાજપના 3 ઉમેદવારો રાજ્યસભાના રણસંગ્રામમાં ઉતરશે. કોંગ્રેસને ઉમેદવારની પસંદગીમાં પહેલેથી જ જ્ઞાતિવાદનો એરૂ આભડી રહ્યો હતો ત્યારે ભાજપે નરહરિ અમીનનું નામ જાહેર કરીને કોંગ્રેસને આંચકો આપ્યો હતો. કોંગ્રેસમાં ધારાસભ્યો આમેંય ભરતસિંહ સોલંકીથી નારાજ છે એવામાં ભાજપનું પાટીદાર અને આયાતી ઉમેદવારનું કાર્ડ હાલ તો ખુદ કોંગ્રેસને આંચકો આપવામાં સફળ રહ્યુ છે.
ભાજપ અને કોંગ્રેસની ફરી અગ્નિપરીક્ષા
રાજ્યસભાની ચૂંટણીમાં કોનો કેટલો દમ?
નરહરિ અમીનની ઉમેદવારી, બગડ્યું કોંગ્રેસનું ગણિ
રાજ્ય માં રાજ્ય સભાની 4 બેઠકો ની ચૂંટણીને લઇ રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો લઈને જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. જોકે ભાજપે છેલ્લી ઘડીએ પાટીદાર ચહેરો અને એક સમયે કોંગ્રેસના અગ્રણી રહી ચૂકેલા નરહરિ અમીનને ત્રીજા ઉમેદવાર જાહેર કરતાં જ કોંગ્રેસમાં પણ સોપો પડી ગયો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે નરહરી અમીન એક સમયે કોંગ્રેસમાં મોભાનું સ્થાન ધરાવતા હતા. જેથી કોંગ્રેસ ના ઉમેદવારો ને ટક્કર આપવા માટે ભાજપે નરહરિ અમીનને મેદાને ઊતારતા રાજકીય સમીકરણો બદલાઇ રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે.
આજે પણ નરહરી અમીનના કોંગ્રેસમાં ચાહક વર્ગ
ખુદ કોંગ્રેસી આગેવાનો પણ ભાજપની આ ચાલને કોંગ્રેસ માટે મુશ્કેલ ગણાવી રહ્યા છે. આજે પ્રદેશ કોંગ્રેસ કોર કમિટીના સભ્ય અને વલસાડના કોંગ્રેસના આગેવાન ગૌરવ પંડ્યા પણ સવારે ટ્વિટ કરી અને નરહરિ અમીન કોંગ્રેસ માટે મોટો પડકાર સાબિત થશે તેવું જણાવી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે નરહરી અમીન એક સમયે કોંગ્રેસમાં મોભાનું સ્થાન ધરાવતા હતા. અને છેલ્લા કેટલાક સમયથી ભાજપમાં છે. જોકે આજે પણ નરહરી અમીનના કોંગ્રેસમાં ચાહક વર્ગ છે.
નરહરિ અમીન પોતે પણ પાટીદારો ચહેરો છે
આથી નરહરિ અમીન. પ્રત્યે કોંગીઓમાં વ્યક્તિગત લાગણી આજે પણ દેખાઈ આવે છે. વધુ માં નરહરિ અમીન પોતે પણ પાટીદારો ચહેરો છે સાથે જ કોંગ્રેસમાંથી ટિકિટ માટે પાટીદારો આગેવાનોએ એક ટિકિટ પાટીદાર સમાજ ને મળે તે માટે પાર્ટી સુધી રજૂઆત કરી હતી. જોકે પાટીદારોની માંગણી સ્વીકારવા આવી નથી.
કોંગ્રેસ ને સતર્ક કરવા માટે જ આ ટ્વીટ કર્યું હોવાનું જણાવી રહ્યા છે
પરંતુ એક વાત સ્પષ્ટ છે કે ઉમેદવારોની પસંદગીમાં કોંગ્રેસે ક્યાંક કાચું કાપ્યું હોય તેવું આડકતરી રીતે કોંગ્રેસના જ અગ્રણીઓ જણાવી રહ્યા છે. આવો કોંગ્રેસના પ્રદેશ કોર કમિટીના સભ્ય ગૌરવ પંડ્યા આ અંગે શું કહી રહ્યા છે.
If Sh Narhari Amin is 3rd BJP candidate for Rajya Sabha from Guj, he will pose a greater challenge for congress to keep it’s folk secure & united bcoz he still has lots of admirers in Cong + the fact that there is no Patel candidate inspite of Cong MLAs open demands
બીજી તરફ ભાજપ એ છેલ્લી ઘડીએ દાવ ખેલી નરહરિ અમીનને ત્રીજા ઉમેદવાર ઘોષિત કરતાં જ કોંગ્રેસ પણ ચોંકી ગઈ છે. ખુદ ગૌરવ પંડ્યા જણાવી રહ્યા છે કે આજે પણ નરહરિ અમીન વ્યક્તિગત રીતે કોંગ્રેસમાં સારી ચાહના ધરાવે છે. આથી કોંગ્રેસ ને સતર્ક કરવા માટે જ આ ટ્વીટ કર્યું હોવાનું જણાવી રહ્યા છે.