ગુજરાતના રાજકારણમાં ભાજપની ધૂંઆધાર બેટીંગ ચાલુ છે જેમાં કોંગ્રેસ ક્લિન બોલ્ડ થતી જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં કોંગ્રેસના 5 ધારાસભ્યો રાજીનામાં આપી ચૂક્યા છે એવી ચર્ચા થઈ રહી છે. આવતી કાલે આ અંગે સત્તાવાર જાહેરાત થશે એવું કહેવાઈ રહ્યું છે.
રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો
કોંગ્રેસના કુલ 5 ધારાસભ્યોએ આપ્યા રાજીનામા
આવતીકાલે વિધાનસભા અધ્યક્ષ કરશે જાહેરાત
સૂત્રો અનુસાર કોણે કોણે આપ્યા રાજીનામાં?
ગઢડાના MLA પ્રવીણ મારૂ
લીંબડીના MLA સોમા પટેલ
ધારીના MLA જે.વી.કાકડિયા
અબડાસાના MLAપ્રદ્યુમનસિંહ જાડેજા
ડાંગના MLA મંગળ ગાવિતે
કોણે આપ્યા રાજીનામા?
રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. ગઢડાના ધારાસભ્ય પ્રવીણ મારૂ, લીંબડીના ધારાસભ્ય સોમા પટેલ, ધારીના ધારાસભ્ય જે.વી.કાકડિયા, અબડાસાના ધારાસભ્યપ્રદ્યુમનસિંહ જાડેજા અને ડાંગના ધારાસભ્ય મંગળ ગાવિતે રાજીનામું આપ્યું છે. તમામ ધારાસભ્યોએ વિધાનસભાના અધ્યક્ષને રાજીનામું આપ્યું હોવાની ચર્ચા થઈ રહી છે. સોમવારે ગૃહમાં રાજેન્દ્ર ત્રિવેદી ધારાસભ્યોના રાજીનામાની જાહેરાત કરશે.
હવે ગુજરાતના અન્ય કોંગી ધારાસભ્યોને શિફ્ટ થવા માટે તૈયાર રહેવાની સૂચના અપાઈ છે. કેટલાક ધારાસભ્યોને હાઈકમાન્ડ દ્વારા શિફ્ટ થવા તૈયાર રહેવાની સૂચના અપાઈ છે.
રાજ્યસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસના 14 ધારાસભ્યો રાજસ્થાનમાં પહોંચ્યા છે. જોકે જૂનાગઢના કોંગી ધારાસભ્યો હજુ પણ રાજસ્થાનમાં પહોંચ્યા નથી. માંગરોળ અને જૂનાગઢ બેઠકના ધારાસભ્યો હજુ પણ પોતાના નિવાસ સ્થાને છે. જૂનાગઢ બેઠકના ધારાસભ્ય ભીખાભાઈ જોશી અને માંગરોળના ધારાસભ્ય બાબુભાઈ વાજા હજુ પણ પોતાના નિવાસ સ્થાને છે. ચૂંટણી પહેલા તોડજોડની રાજનીતિ શરૂ થતા જ કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને રાજસ્થાનમાં મોકલ્યા છે.
બીજા ગૃપમાં કોનો સમાવેશ
ધારાસભ્ય મહેશ પટેલ
કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ
દિયોદરના ધારાસભ્ય શિવા ભુરિયા
વાસંદાના ધારાસભ્ય અનંત પટેલ
કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી,
તળાજાના ધારાસભ્ય અજીત ચૌધરી,
ઉમરાળાના ધારાસભ્ય પ્રવિણ મારુ,
ધારાસભ્ય સુખરામ જેઠવા
મોહનસિંહ રાઠવાને
કોંગ્રેસ દ્વારા 14 ધારાસભ્યોને જયપુર લઈ જવામાં આવ્યા છે.
રાજ્યસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસના 14 ધારાસભ્યો રાજસ્થાનમાં પહોંચ્યા છે. જોકે જૂનાગઢના કોંગી ધારાસભ્યો હજુ પણ રાજસ્થાનમાં પહોંચ્યા નથી. માંગરોળ અને જૂનાગઢ બેઠકના ધારાસભ્યો હજુ પણ પોતાના નિવાસ સ્થાને છે. જૂનાગઢ બેઠકના ધારાસભ્ય ભીખાભાઈ જોશી અને માંગરોળના ધારાસભ્ય બાબુભાઈ વાજા હજુ પણ પોતાના નિવાસ સ્થાને છે. ચૂંટણી પહેલા તોડજોડની રાજનીતિ શરૂ થતા જ કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને રાજસ્થાનમાં મોકલ્યા છે.