શુક્રવારે પરપ્રાંતિય મજૂરોના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી, ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોએ સ્થળાંતર થયેલ મજૂરોની પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી. ગુજરાત સરકાર તરફથી હાજર રહેલા વકીલે કહ્યું હતું કે આ કેસમાં વધુ વિગતવાર તપાસની જરૂર નથી. 22 લાખમાંથી 2.5 લાખ શ્રમિકો બાકી છે. 20.5 લાખને પરત મોકલી દેવાયા છે.
દિલ્હીએ કહ્યું કે અત્યારે 2 લાખ કામદારો છે
તે જ સમયે, મહારાષ્ટ્ર સરકારે કહ્યું કે 11 લાખથી વધુ પરપ્રાંતિય શ્રમિકો પાછા જતા રહ્યા છે. હવે 38000 બાકી છે. દિલ્હીએ કહ્યું કે અત્યારે 2 લાખ કામદારો છે, જેમાંથી 10 હજાર કરતા પણ ઓછા લોકો વતન જવા ઇચ્છે છે. તે જ સમયે, ઉત્તર પ્રદેશ સરકારે કહ્યું કે અમે કોઈ મજૂરો પાસેથી ભાડું લીધું નથી.
UPએ 104 વિશેષ ટ્રેનો વડે 1.35 લાખ મજૂરોને મોકલ્યા
ઉત્તર પ્રદેશ સરકારે કહ્યું કે અમે બે સ્તરે કામ કર્યું. કામદારોને પાછા લાવવાનું અને અહીં રહેતા કામદારોને મોકલવાનું. અમે 104 વિશેષ ટ્રેનો વડે 1.35 લાખ મજૂરોને મોકલ્યા છે. હવે રાજ્યમાં એવું કોઈ નથી જે ઘરે પાછા જવાનું ઇચ્છે છે. UPના ઘણા લોકો દેશના વિવિધ ભાગમાં કામ કરી રહ્યા છે.
દિલ્હી બોર્ડરથી 5.50 લાખ મજૂરોને તેમના ઘરે પહોંચાડ્યા
યુપી સરકારે કહ્યું કે અમે દિલ્હી બોર્ડરથી 5.50 લાખ મજૂરોને તેમના ઘરે પહોંચાડ્યા. આ માટે બસોએ 10 હજારથી વધુ ટ્રિપ્સ કરી છે. તે જ સમયે, બિહાર સરકારે કહ્યું કે રાજ્યમાં 28 લાખ મજૂરો પાછા ફર્યા છે, જેમાંથી 10 લાખ લોકોની સ્કીલ મેપિંગ કરવામાં આવી છે. હવે તેમને રોજગાર આપવા પગલાં લેવામાં આવી રહ્યા છે.