ભાવનગરના મહુવામાં માઈનીંગ દરમિયાન થયેલા વિરોધમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયુ હતું. જે બાદ પોલીસે ગુજારેલા દમનમાં અનેક ગ્રામજનો ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે હવે મહુવામાં ખેડૂત આંદોલન દરમિયાન પોલીસદમનના મામલે ગુજરાત હાઇકોર્ટે પોલીસ પર લાલઆંખ કરી છે. ખેડૂતો પર દમન કરનાર પોલીસકર્મી સામે ગુનો નોંધાશે. જવાબદાર તમામ પોલીસકર્મી સામે તાત્કાલિક FIR નોંધવા આદેશ કરવામાં આવ્યો છે.
સ્થાનિક અદાલતના જ્યૂડિશિયલ ઓફિસરને હાઇકોર્ટે હુકમ કર્યો છે. કોર્ટના હુકમ બાદ પોલીસ અધિકારીઓ સામે ગુનો નોંધાશે. SP DySP સહિતના પોલીસ અધિકારી સામે ગુનો નોંધાઈ શકે છે. દાઠા પોલીસ સ્ટેશનના PI સહિતના સ્ટાફ પર પણ નોંધાઈ ગુનો શકે છે. મહુવામાં અલ્ટ્રાટેક સિમેન્ટના વિરોધમાં ખેડૂતોએ આંદોલન કર્યુ હતું.
કેવી રીતે બની હતી ઘટના?
તળાજા અને મહુવા તાલુકાના 13 ગામોને અસરકર્તા અલ્ટ્રાટેક સિમેન્ટના માઇનિંગ સામે ખેડૂતોએ વિરોધ કર્યો હતો. શાંતિપૂર્વક આંદોલન ચલાવતા ખેડૂતો ઉગ્ર બન્યા હતા. ખેડૂતો કંપનીની સાઈટ પર કામ બંધ કરાવવા ગયા હતા તે દરમિયાન પોલીસ દ્વારા લાઠીચાર્જ અને ટિયરગેસ છોડવામાં આવ્યા હતા. પોલીસ અને ગ્રામજનો વચ્ચે એવી તો જપાજપી થઈ કે વાત પથ્થમારા સુધી પહોંચી ગઈ હતી. જેમાં બન્ને પક્ષે ઘાયલ થયા હતા.
ભાવનગરની જેલમાં 92 લોકોને રાખવામાં આવ્યા હતા
ભાવનગરના તળાજામાં માઈનિંગના વિરોધ મામલે 91 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી. ત્યાર બાદ આ મામલે મામલે ભાવનગરની જેલમાં 36 મહિલા ખેડૂતો અમરેલીની જેલમાં 56 ખેડૂતોને રાખવામાં આવ્યા હતાં. જામીન બાદ તમામનો છુટકારો થયો હતો અને ખેડૂતોના સ્વાગત માટે જેલની બહાર આગેવાનો ઉમટ્યા હતાં.
કેબિનેટ બેઠકમાં પડ્યા હતા પ્રત્યાઘાત
મહુવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત કેબિનેટ બેઠકમાં પડ્યા હતા. મહુવામાં ખેડૂતો પર જે લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો તે અંગે સીએમ રૂપાણીએ વિગતો મેળવી હતી. કેબિનેટ બેઠકમાં આ મુદ્દો ખાસો ચર્ચાયો હતો. સીએમ રૂપાણીએ પ્રાથમિક વિગતો મેળવ્યા બાદ સમગ્ર મામલે સ્થાનિક વહિવટી તંત્રને તપાસ કરવા માટે આદેશ પણ આપ્યા હતા. એટલું જ નહીં ગૃહ વિભાગને પણ ઘટનાની તપાસ કરવા માટે આદેશ આપ્યા હતા. બીજી બાજુ કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ આ મામલે ટ્વીટ કર્યું હતું.