5 જાન્યુઆરી 2021ના રોજ ગુજરાતમાં કોરોના વાયરસ સંક્રમણના 655 નવા કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ રાહતના સમાચાર છે કે રિકવરી રેટ ઉત્તરોત્તર ઘટી રહ્યો છે. જોકે, રાજ્યમાં કોરોનાના થતા ટેસ્ટની સંખ્યા પણ ઘટી છે. રાજ્યમાં એક્ટિવ કેસ ઘટ્યા છે સાથે મહાનગરોમાં પણ કોરોનાના કેસ 150થી ઓછા નોંધાયા છે.
રાજ્યના મહાનગરોમાં ઉત્તરોત્તર ઘટી રહ્યો છે કોરોનાનો કહેર
24 કલાકમાં 655 નવા કેસ
રાજ્યમાં હવે માત્ર 8830 સક્રિય કેસ
પ્રેસનોટ અનુસાર, ગત 24 કલાક દરમિયાન કોરોનાના 655 નવા કેસ સામે આવ્યા છે. જેથી ગુજરાતમાં અત્યાર સુધીમાં 248,581 દર્દીઓ નોંધાઇ ચૂક્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 94.71 ટકા થયો છે. તો ગુજરાતમાં આજે 48,039 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેથી અત્યાર સુધીમાં કુલ 99,06,698 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જોકે પહેલા કરતા કોરોનાના ટેસ્ટની સંખ્યા ઘટાડી દેવામાં આવી છે.
રાજ્યમાં 10 હજારથી ઓછા એક્ટિવ કેસ
રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, રાજ્યમાં આજે 868 દર્દી સાજા થયાં અને અત્યાર સુધીમાં કુલ 2,35,426 દર્દીઓ સાજા થયાં છે. તો હાલ 8830 એક્ટિવ કેસ છે. જેમાંથી 59 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
ગુજરાતમાં આજે 4 દર્દીના મોત
આજે કોવિડ-19થી 4 દર્દીઓના મોત થવા પર રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા વધીને 4325 થઇ ગઇ છે. આજે અમદાવાદમાં 2 અને સુરતમાં 1, અમરેલી 1 આમ 24 કલાક દરમિયાન કુલ 4 લોકોના કોરોનાથી મોત થયા છે. ત્યારે છેલ્લા કેટલાક મહિનાઓથી સૌથી વધુ દર્દીઓના અમદાવાદમાં મૃત્યુ થઇ રહ્યા છે.
મહાનગરોમાં કેસ ઘટ્યા! અમદાવાદ શહેરમાં 137 પોઝિટિવ
રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 137 -ગ્રામ્યમાં 4 કેસ, સુરત શહેરમાં 106-ગ્રામ્યમાં 18 કેસ, વડોદરા શહેરમાં 96 ગ્રામ્યમાં 28 કેસ, રાજકોટ શહેરમાં 57-ગ્રામ્યમાં 16 કેસ, નોંધાયા છે.
ગત 24 કલાક દરમિયાન રાજ્યમાં નોંધાયેલા જિલ્લાવાર આંકડા