ભારતમાં કોરોના વાયરસના કેસ 80 લાખને પાર પહોંચી ચૂક્યા છે, જ્યારે દેશમાં કોરોનાથી દર્દીઓના મોતનો 1 લાખ 21 હજારને પાર પહોંચી ચૂક્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 969 નવા કોરોનાના કેસ નોંધાયા છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને જામનગરમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ ફેલાઇ રહ્યું છે. રાજ્યનો રિકવરી રેટ 90 ટકાને પાર પહોંચ્યો છે. રાજ્યમાં 13,190 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કોરોનાના દર્દીઓના મોત થયા છે. તો રાજ્યમાં કોરોના ટેસ્ટનો આંકડો 60 લાખથી વધુ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
24 કલાકમાં 969 નવા કોરોનાના કેસ નોંધાયા
કુલ આંકડો 1,72,009 પર પહોંચ્યો
આજે 1,027 દર્દીઓ સાજા થયા અને 6 દર્દીઓના મોત થયા
આજે ફરી એકવાર રાજ્યમાં કોરોનાના કેસ 1000થી ઓછા કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 969 કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને લઇને કુલ આંકડો 1,72,009 પર પહોંચ્યો છે. મહત્વનું છે કે રાજ્યમાં રિકવરી રેટ વધીને 90.17 ટકા થયો છે. રાજ્યમાં કોરોના ટેસ્ટિગની સંખ્યામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. રોજના 50 હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. રાજ્યના વસ્તીને ધ્યાને લેતા રોજ આશરે 794 ટેસ્ટ કરવામાં આવે છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 51,657 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા જેને લઇને કુલ ટેસ્ટનો આંકડો 60,02,273 પર પહોંચ્યો છે.
1,027 દર્દીઓ થયાં સાજા, 6ના મોત
આજે 1,027 દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,55,105 પર પહોંચ્યો છે. આજે 6 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક 3,714 પર પહોંચ્યો છે. જ્યારે એક્ટિવ કેસ 13,190 છે. જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, મહેસાણા અને વડોદરામાં સૌથી વધુ એક્ટિવ કેસ છે.
આ 4 જિલ્લામાં કુલ 6 દર્દીઓના મોત
આજે કોરોના વાયરસે 6 દર્દીઓનો ભોગ લીધો છે. જેમાં અમદાવાદમાં 2, સુરતમાં 2, પાટણમાં 1 અને રાજકોટમાં 1 દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે.
આ 5 મહાનગરોમાં ચિંતાજનક કેસ
રાજ્યમાં સૌથી વધુ સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા અને જામનગરમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાઇ રહ્યા છે. જેમાં આજે સુરતમાં 218, અમદાવાદમાં 181, રાજકોટમાં 74, વડોદરામાં 114 અને જામનગરમાં 29 કોરોનાના કેસ નોંધાયા છે.
છેલ્લા 24 કલાકમાં વિવિધ જિલ્લામાં નોંધાયેલા કોરોનાના કેસની વિગત